શોધખોળ કરો

UPI યૂઝર્સ સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ

UPI Payment: જો તમે UPI યુઝર છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. 1 એપ્રિલથી બેંક ખાતાઓમાંથી નિષ્ક્રિય મોબાઇલ નંબરો કાઢી નાખવામાં આવશે, ત્યારબાદ તેમની સાથે લિંક કરેલ UPIનો ઉપયોગ નહીં કરી શકાય.

UPI Payment: UPI યુઝર્સ માટે એક મોટા સમાચાર છે. 1 એપ્રિલ, 2025 થી નવા નિયમો અમલમાં આવી રહ્યા છે, જે ગૂગલ પે, ફોનપે અને પેટીએમ જેવી પેમેન્ટ એપ્સના વપરાશકર્તાઓને અસર કરશે. વાસ્તવમાં, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ કહ્યું છે કે તે UPI સાથે જોડાયેલા તે મોબાઈલ નંબરોને બેંક ખાતામાંથી દૂર કરશે જે લાંબા સમયથી બંધ છે. આનો અર્થ એ થયો કે જો તમારું બેંક એકાઉન્ટ નિષ્ક્રિય નંબર સાથે લિંક થયેલ છે, તો તે કાઢી નાખવામાં આવશે. આ પછી, નિષ્ક્રિય નંબરો દ્વારા UPI વ્યવહારો શક્ય બનશે નહીં.

સાયબર ક્રાઇમ રોકવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો

છેલ્લા કેટલાક સમયથી, દેશમાં સાયબર ગુનાઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, NPCI એ એક નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. NPCI કહે છે કે નિષ્ક્રિય નંબરો UPI અને બેંકિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામીઓનું કારણ બને છે. ટેલિકોમ ઓપરેટરો અન્ય વપરાશકર્તાઓને નિષ્ક્રિય નંબરો ફાળવે છે, જેનાથી છેતરપિંડીનું જોખમ વધે છે. આ સાથે, NPCI એ બેંકો અને UPI એપ્સને દર અઠવાડિયે નિષ્ક્રિય મોબાઇલ નંબરોના રેકોર્ડમાં સુધારો કરવા જણાવ્યું છે.

આ વપરાશકર્તાઓને વધુ અસર થશે

આ નિર્ણયની સૌથી વધુ અસર એવા વપરાશકર્તાઓ પર પડશે જેમણે નવો મોબાઇલ નંબર લીધો છે, પરંતુ તેમનું બેંક ખાતું હજુ પણ જૂના નંબર સાથે જોડાયેલ છે. આ ઉપરાંત, જે વપરાશકર્તાઓ તેમના નિષ્ક્રિય મોબાઇલ નંબરો સાથે UPI નો ઉપયોગ કરી રહ્યા છે તેમને પણ આ નિર્ણયને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો તમારું બેંક ખાતું પણ કોઈ જૂના નંબર સાથે જોડાયેલું હોય અથવા કોઈ એવા નંબર સાથે જોડાયેલ હોય જે હવે સક્રિય નથી, તો તમારા નંબરને બેંક ખાતા સાથે અપડેટ કરો. ઉપરાંત, નિષ્ક્રિય નંબરને તમારા ટેલિકોમ સેવા પ્રદાતાનો સંપર્ક કરીને સક્રિય કરી શકાય છે. જો તમારો નંબર સક્રિય છે, તો તમે 1 એપ્રિલ પછી પણ પહેલાની જેમ UPI સેવાઓનો ઉપયોગ કરી શકશો.

નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2024-25 માટે UPI ચુકવણી અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે અંદાજિત 1,500 કરોડ રૂપિયાની ઈન્સેટિવ સ્કીમને મંજૂરી આપી છે. આનાથી નાના દુકાનદારોને મોટી રાહત મળશે, જેઓ સામાન્ય રીતે UPI ચુકવણી સ્વીકારવાનું ટાળે છે. સરકારની આ યોજના નાના દુકાનદારોમાં ડિજિટલ વ્યવહારોને વેગ આપશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fridge Keeping Tips: દિવાલથી ઓછામાં ઓછું કેટલા અંતરે રાખવું જોઈએ ફ્રિજ? નહીં તો થઈ શકે છે દૂર્ઘટના
Fridge Keeping Tips: દિવાલથી ઓછામાં ઓછું કેટલા અંતરે રાખવું જોઈએ ફ્રિજ? નહીં તો થઈ શકે છે દૂર્ઘટના
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ટીવીને દિવાલ પર લગાવવું જોઈએ કે ટેબલ પર મૂકવું જોઈએ? જાણો Smart TV માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ?
ટીવીને દિવાલ પર લગાવવું જોઈએ કે ટેબલ પર મૂકવું જોઈએ? જાણો Smart TV માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ?
પ્રાઈવસીના મામલે આઈફોનને ટક્કર આપી રહ્યા છે Android ફોન, આ 4 ફીચર્સ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ પાસે જ છે
પ્રાઈવસીના મામલે આઈફોનને ટક્કર આપી રહ્યા છે Android ફોન, આ 4 ફીચર્સ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ પાસે જ છે

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Embed widget