શોધખોળ કરો

Latest Update: હવે આ તારીખે લૉન્ચ થશે iPhone 15, ને આ દિવસે શરૂ થશે ભારતમાં વેચાણ

ટિપસ્ટર અભિષેક યાદવે iPhone 15 સીરીઝની લૉન્ચિંગ ડેટ જાહેર કરી છે. ટિપસ્ટર અનુસાર, કંપની આ ફોનને 13 સપ્ટેમ્બરે લૉન્ચ કરી શકે છે

iPhone 15 Series Launch Date: આઇફોન લવર્સ નવા લેટેસ્ટ આઇફોનના લૉન્ચિંગની રાહ જોઇને બેઠાં છે, દર વર્ષની જેમ સપ્ટેમ્બરમાં રેગ્યૂલર લૉન્ચિંગની ચર્ચાઓ વચ્ચે હવે આઇફોન 15ના લૉન્ચિંગ વિશે મોટુ અપડેટ સામે આવ્યુ છે. Appleની અપકમિંગ iPhone 15 સીરીઝ વિશે દરેક લોકો ઉત્સાહિત છે. આ વખતે આ સીરીઝ કેટલાક ફેરફારો સાથે લૉન્ચ થવાની છે, જેમાં મુખ્ય છે USB Type-C ચાર્જિંગ. આ ઉપરાંત લોકોને iPhone સીરિઝમાં કેટલાક શાનદાર અપડેટ મળવાના છે. ટિપસ્ટર અભિષેક યાદવે iPhone 15 સીરીઝની લૉન્ચિંગ ડેટ જાહેર કરી છે. ટિપસ્ટર અનુસાર, કંપની આ ફોનને 13 સપ્ટેમ્બરે લૉન્ચ કરી શકે છે. લૉન્ચ ઈવેન્ટ એપલ પાર્ક, કેલિફૉર્નિયા ખાતે યોજાશે, જેને તમે એપલની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન જોઈ શકશો.

ધ્યાન રહે, ઓફિશિયલી હજુ સુધી iPhone 15ના લૉન્ચ વિશે કોઈ માહિતી નથી. સચોટ માહિતી માટે તમારે થોડી વધુ રાહ જોવી પડશે. લૉન્ચ ઈવેન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓએ 9to5Macને જણાવ્યું છે કે, કંપની કર્મચારીઓને 13 સપ્ટેમ્બરથી રજા ના લેવાનું કહી રહી છે કારણ કે તે દિવસે ફોન લૉન્ચ ઈવેન્ટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, Appleની અત્યાર સુધીની મોટાભાગની લૉન્ચ ઈવેન્ટ મંગળવારે થઈ છે. જોકે છેલ્લી ઘટના બુધવારે બની હતી. આ વખતે 13 સપ્ટેમ્બરે પણ બુધવાર છે. આવામાં શક્ય છે કે કંપની આ દિવસે ફોન લૉન્ચ કરે.

પ્રી-ઓર્ડર આ દિવસથી થઇ શકે છે શરૂ  - 
9to5Macના રિપોર્ટ અનુસાર, જો ફોન 13 સપ્ટેમ્બરે લૉન્ચ થાય છે, તો કંપની 15 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર શરૂ કરી શકે છે. કંપની 22 સપ્ટેમ્બરથી મોબાઈલ ફોનનું વેચાણ શરૂ કરી શકે છે.

જો લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો કંપની iPhone 15માં ડિસ્પ્લેની આસપાસ થોડી ઘુમાવદાર ધાર અને પાતળા બેઝલ્સ આપી શકે છે. તમામ 4 નવા મૉડલમાં લાઈટનિંગને બદલે ડાયનેમિક આઈલેન્ડ અને USB-C ફિચર હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની પ્રૉ મૉડલમાં સ્ટેનલેસ સ્ટીલ ફ્રેમને ટાઈટેનિયમથી બનેલી નવી ફ્રેમથી બદલી શકે છે. iPhone 15 અને 15 Plusમાં કંપની A16 Bionic ચિપસેટને સપોર્ટ કરી શકે છે જ્યારે iPhone 15 Pro અને 15 Pro Max નવી A17 ચિપ પર નિર્ભર રહેશે. પ્રૉ મૉડલમાં કંપની વધુ સારા ઓપ્ટિકલ ઝૂમ માટે નવા પેરિસ્કૉપ લેન્સ પણ ઓફર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઘણા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે Appleની iPhone 15 સીરીઝ વર્તમાન સીરીઝ કરતાં 200 ડૉલર મોંઘી હોઈ શકે છે.

 

--

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget