આ મોબાઈલ નંબર પર 1 એપ્રિલથી કામ નહીં કરે UPI, 31 માર્ચ સુધીમાં બેંક કરશે રિમૂવ
UPI યુઝર્સ માટે મોટા સમાચાર છે. જો તમારો બેંક સાથે જોડાયેલ મોબાઈલ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો તેને તરત જ એક્ટિવ કરો.

UPI યુઝર્સ માટે મોટા સમાચાર છે. જો તમારો બેંક સાથે જોડાયેલ મોબાઈલ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો તેને તરત જ એક્ટિવ કરો. જો તમે આમ નહીં કરો તો 1 એપ્રિલથી તમે UPIનો ઉપયોગ કરી શકશો નહીં. વાસ્તવમાં, છેતરપિંડી રોકવા માટે 1 એપ્રિલથી UPI પેમેન્ટ સેવા સંબંધિત નવા નિયમો અમલમાં આવશે. આ હેઠળ, બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PSPs) એ નિષ્ક્રિય અથવા બદલાયેલા મોબાઈલ નંબરને દૂર કરવા માટે 31 માર્ચ પહેલા તેમના ડેટાબેઝ અપડેટ કરવા પડશે.
આ હેઠળ, બેંકો 31 માર્ચ સુધીમાં તેમના ડેટાબેઝમાંથી નિષ્ક્રિય મોબાઇલ નંબર દૂર કરશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ છેતરપિંડી અટકાવવા ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, નિષ્ક્રિય મોબાઇલ સંબંધિત UPIનો ઉપયોગ બંધ થઈ જશે.
અઠવાડિયામાં એકવાર રેકોર્ડ અપડેટ કરવું જરૂરી છે
NPCI એ બેંકો અને UPI એપ્સ જેમ કે GooglePay અને PhonePe માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત મોબાઈલ નંબર રેકોર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. UPI સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ MNRL અથવા ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP)નો ઉપયોગ શંકાસ્પદ લોકોની ઓળખ કરવા અને તેને દૂર કરવા માટે કરવો પડશે.
કોનું UPI રોકી શકાય ?
- જો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય અને બેંક સાથે અપડેટ ન થયો હોય તો આવા યુઝર્સ UPI નો ઉપયોગ કરી શકશે નહીં.
- જે લોકોએ પોતાનો નંબર બેંકમાં અપડેટ કર્યા વિના તેને નિષ્ક્રિય કરી દીધો છે. તેઓ UPIનો ઉપયોગ કરી શકશે નહીં.
- જેમનો નિષ્ક્રિય મોબાઇલ નંબર હોય તે
આને કેવી રીતે ટાળવું ?
- ખાતરી કરો કે બેંક ખાતા સાથે જોડાયેલ મોબાઈલ નંબર એક્ટિવ છે. જો નહિં, તો તેઓ શક્ય તેટલી વહેલી તકે એક્ટિવ કરાવવું જોઈએ.
- યુઝર્સે તેમનો મોબાઈલ નંબર UPI સાથે લિંક કરેલ બેંક એકાઉન્ટ સાથે અપડેટ કરવો જોઈએ.
- જો UPI ID સાથે લિંક કરેલ મોબાઇલ નંબર નિષ્ક્રિય કરવામાં આવે છે, તો UPI વપરાશકર્તાઓ સેવાઓ બંધ થવાથી બચવા માટે 1 એપ્રિલ પહેલા નવો નંબર મેળવી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
