શોધખોળ કરો
Advertisement
ચેકથી લાંચ લેવાનો વરવો કિસ્સો આવ્યો સામે, હાઈકોર્ટે વન અધિકારીઓના રદ કર્યા જામીન, શું હતો કિસ્સો? જુઓ વીડિયો
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500-1000ની જૂની નોટો બંધ કરવાનો નિર્ણય લીધો તે માટે તેમણે આતંકવાદને નાથવાનું, કાળા નાણાંને બહાર લાવવાનું અને ભ્રષ્ટાચારને ઘટાડવાનું કારણ આપ્યું છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલા એક કિસ્સામાં બહાર આવ્યું છે કે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરનારા વન વિભાગના અધિકારીઓ ચેકથી લાંચ લેતા હતા. ચેકથી લાંચ લેવાના આ કિસ્સાના કોર્ટે પણ ગંભીરતાથી લીધો છે.
ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો છે. જે મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. વન વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ વિનોદ રાવળીયા, ધીરુ ચુડાસમા અને દિપક ઠક્કર સામે સરકારે કેસ કર્યો છે. આ અધિકારીઓ પર મનરેગા યોજના હેઠળ વન તલાવડી અને ચેક ડેમ બનાવવા અંગેના વિવિધ કોન્ટ્રાકટ આપવા અને કામ થયા વગરના કિસ્સાઓમાં પેમેન્ટ કરીને તેની પર લાંચ લેવાનો આરોપ છે. સરકારે હાઇકોર્ટના ધ્યાને મૂક્યું છે કે 70 થી 80 ટકા કિસ્સાઓમાં વન તળાવડીઓ બની જ નથી. તેમ છતાંય તે બનાવવા માટેના રૉ મટીરીયલ સહિતના બિલ્સ મુકાયા અને સરકારી અધિકારીઓએ તેને પાસ પણ કરી દીધા. આટલું જ નહિ આ બિલ્સના પેમેન્ટના ચેક કોન્ટ્રાક્ટર્સને ચૂકવાઈ પણ ગયા. જેમાંથી કોન્ટ્રાક્ટર્સે અધિકારીઓને લાંચ આપી. આ લાંચની રકમનું ચુકવણું પણ ચેકથી જ કરવામાં આવ્યું હતું. લાખો રૂપિયાની લાંચનો આ ચોંકાવનારો કિસ્સો કોર્ટ સમક્ષ આવતા હાઇકોર્ટે આરોપીઓને આપેલા જામીન રદ્દ કરી દીધા છે. કોર્ટે કહ્યું કે પ્રજાના નાણાંમાંથી કરોડો રૂપિયાની ઉચાપત અને લાંચ લેવાના કેસમાં આ અધિકારીઓને જામીન પર મુક્ત રાખવા એ યોગ્ય નથી.
ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો છે. જે મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. વન વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ વિનોદ રાવળીયા, ધીરુ ચુડાસમા અને દિપક ઠક્કર સામે સરકારે કેસ કર્યો છે. આ અધિકારીઓ પર મનરેગા યોજના હેઠળ વન તલાવડી અને ચેક ડેમ બનાવવા અંગેના વિવિધ કોન્ટ્રાકટ આપવા અને કામ થયા વગરના કિસ્સાઓમાં પેમેન્ટ કરીને તેની પર લાંચ લેવાનો આરોપ છે. સરકારે હાઇકોર્ટના ધ્યાને મૂક્યું છે કે 70 થી 80 ટકા કિસ્સાઓમાં વન તળાવડીઓ બની જ નથી. તેમ છતાંય તે બનાવવા માટેના રૉ મટીરીયલ સહિતના બિલ્સ મુકાયા અને સરકારી અધિકારીઓએ તેને પાસ પણ કરી દીધા. આટલું જ નહિ આ બિલ્સના પેમેન્ટના ચેક કોન્ટ્રાક્ટર્સને ચૂકવાઈ પણ ગયા. જેમાંથી કોન્ટ્રાક્ટર્સે અધિકારીઓને લાંચ આપી. આ લાંચની રકમનું ચુકવણું પણ ચેકથી જ કરવામાં આવ્યું હતું. લાખો રૂપિયાની લાંચનો આ ચોંકાવનારો કિસ્સો કોર્ટ સમક્ષ આવતા હાઇકોર્ટે આરોપીઓને આપેલા જામીન રદ્દ કરી દીધા છે. કોર્ટે કહ્યું કે પ્રજાના નાણાંમાંથી કરોડો રૂપિયાની ઉચાપત અને લાંચ લેવાના કેસમાં આ અધિકારીઓને જામીન પર મુક્ત રાખવા એ યોગ્ય નથી.
ગુજરાત
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું
Rath Yatra 2024 | ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement