શોધખોળ કરો
અમદાવાદમાં સી-પ્લેનની કામગીરી પૂર્ણ, દશેરાએ એરક્રાફ્ટ કેનેડાથી આવશે
અમદાવાદમાં સી પ્લેન માટેની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. દશેરાના દિવસે એરક્રાફ્ટ અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. સંભવિત ઓક્ટોબરથી શરૂ થનારી સી-પ્લેન સેવા અગાઉ તંત્ર દ્ધારા તૈયારીઓ કરવામાં આવી છે. ચંદ્રનગર બ્રિજ પાસે જેટી ફિટ કરી દેવામાં આવી છે. સી-પ્લેનની પ્રથમ ઉડાન વિદેશી પાયલટ દ્વારા કરવામાં આવશે.પ્રથમ પાંચ મહિના પાયલોટિંગ અંગે તાલીમ આપવામાં આવશે. સાબરમતી નદીથી સરદાર સરોવર ડેમ સુધી ઉડનારા સી પ્લેનની વન વે ટિકિટ 4500 થી 4800 જેટલી રાખવામાં આવશે.મહત્વનું છે કે સી પ્લેન દ્વારા અમદાવાદથી નર્મદા સરદાર સરોવર સુધીનું 198 કિમીનું અંતર 50 મિનિટમાં કાપવામાં આવશે.
અમદાવાદ
Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
T20 World Cup Final : ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચને કારણે અમદાવદમાં હોટલના ભાડામાં વધારો
આગળ જુઓ





















