શોધખોળ કરો
હું તો બોલીશ: કોરોનાનું કડવુ સત્ય
ગાંધીનગરના અંતિમધામમાં એક શબવાહિનીમાં ચાર મૃતદેહ એક સાથે મોકલાયા. કોરોના મહામારી વ્ચ્ચે મૃત્યુનો અને પાર્થિવહેદનો મલાજો પણ ન જાળવી શક્યું ગાંધીનગર પ્રશાસન, માલસામાન ભરાતો હોય તેમ પાર્થિવ દેહને શબવાહીનીમાં ભરી સ્મશાન પહોંચાડાયા હોય તેવી તસ્વીરો સામે આવી હતી. તો બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 3922 મૃત્યુ થયા હોવાનો સરકારી આંકડો છે પરંતુ સરકારી આંકડાથી વિપરીત ચર્ચા થતી હોવાથી જનતામાં અસમંજસતા છે. છેલ્લા એક સપ્તાહમાં ગાંધીનગરમાં કોરોનાથી બે જ મૃત્યુ થયા હોવાના સરકારી આંકડા દર્શાવે છે પરંતુ ગાંધીનગરના મેયરે સરેરાશ 10 લોકોના કોરોનાથી મૃત્યુ થતા હોવાનું નિવેદન આપ્યું હતું.
આગળ જુઓ






















