શોધખોળ કરો
ચીનની ભારતને ખુલ્લી ચીમકીઃ સમાધાનનો કોઈ સવાલ જ નથી, ભારત સૈનિકોને પાછા બોલાવે
1/5

બન્ને દેશો વચ્ચે તંગદિલી ચાલી રહી છે તેની વચ્ચે ચીનનું એક યુદ્ધજહાજ હિંદ મહાસાગરમાં દેખાયું હતું. અહેવાલો કહે છે કે આ પરંપરાગત ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન યુઆન ક્લાસ છે. હિંદ મહાસાગરમાં ચીનના જહાજો દેખાયા હોય તેવી આ સાતમી ઘટના છે. જોકે આ વર્ષમાં પહેલી વખત આવું બન્યું છે. જે હાલની તંગદિલી જોતાં ભારત માટે ચિંતાજનક બાબત છે.
2/5

ઝાઓહુએ કહ્યું કે ‘અમારી પહેલી પ્રાથમિકતા સરહદેથી ભારત બિનશરતી તેના સૈનિકો પાછા ખેંચી લે. તે બન્ને દેશો વચ્ચે કોઇ અર્થસભર વાટાઘાટની પૂર્વશરત છે. હાલની સ્થિતિ ગંભીર અને મારા માટે ચિંતાજનક છે. આ પહેલી વખત છે કે ભારતીય સૈનિકોએ પરસ્પર સંમતિથી નક્કી કરાયેલા સરહદને પાર કર્યા છે અને ચીનના પ્રદેશમાં ઘૂસણખોરી કરી હતી.
Published at : 05 Jul 2017 08:37 AM (IST)
View More























