શોધખોળ કરો
પાકિસ્તાનમાં 2 હિન્દુઓની ધોળે દહાડે ગોળી મારીને હત્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
1/5

ઇસ્લામાબાદઃ પાકિસ્તાના સિંધ પ્રાંતમાં શુક્રવારે બદમાશોએ ધોળે દહાડે બે હિન્દુ અનાજના વેપારીઓની ગોળી મારીને હત્યા કરી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના અહેવાલ અનુસાર માર્યા ગયેલ બન્ને વેપારીની ઓળખ દિલીપ કુમાર અને ચંદ્ર માહેશ્વરી તરીકે થઈ છે. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે બન્ને ભાઈઓએ થારપાર્કર જિલ્લામાં પોતાની દુકાન ખોલી. પોલીસે જણાવ્યાનુસાર બદમાશોએ બન્ને ભાઈઓ પાસેથી રૂપિયા લૂંટવાનો પ્રયત્ન કર્યો. જ્યારે બન્ને ભાઈઓએ વિરોધ કર્યો તો બદમાશોએ ગોળી મારીને તેની હત્યા કરી દીધી.
2/5

ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાએથી પાકિસ્તાનનું મિઠી શહેર માત્ર 60 કિમી જ દૂર છે. ત્યાં હિન્દુઓની વસતી નોંધપાત્ર છે. ગુજરાતના અમદાવાદ, પાલનપુર, મોરબી અને ગાંધીધામ જેવા શહેરમાં મિઠીથી સ્થળાંતર કરીને આવેલા અનેક લોકો વસી રહ્યા છે.
Published at : 06 Jan 2018 11:21 AM (IST)
View More























