શોધખોળ કરો

Urea Fertilizer: આ જિલ્લામાં સર્જાઈ યુરિયા ખાતરની અછત, ડેપો પર લાગ્યા યુરિયા ખાતર નથી ના બોર્ડ

યોગ્ય સમયે યુરિયા ખાતર ન મળતાં ખેડૂતોને શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે.

Urea Shortage in Mahisagar: ગુજરાતમાં હાલ શિયાળુ વાવેતર પૂર જોશમાં થઈ રહ્યું છે. ખેડૂતો તેમના પાક વાવી દીધા છે અને હવે તેમને ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે. આ દરમિયાન મહિસાગર જિલ્લામાં યુરીયા ખાતરની અછત ઉભી થઈ છે. લુણાવાડામાં ખાતર ડેપો પર લાગ્યા યુરિયા ખાતર નથી ના બોર્ડ લાગ્યા છે. મહિસાગર જિલ્લાના વેચાણ સંઘ પર યુરીયા ન મળતાં ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે.

યોગ્ય સમયે યુરિયા ખાતર ન મળતાં ખેડૂતોને  શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. પાંચ થી છ દિવસ પછી ગઈ કાલે માત્ર એક ગાડી આવી હતી, જે બાદ આજે પછી ખાતરની અછત યથાવત છે. જેને લઈ પૂરતો જથ્થો હોવાના સરકારના દાવા ગ્રામ્ય લેવલમાં પોકળ સાબિત થયા છે. માંગ સામે પૂરતો જથ્થો ન આવતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખાતર ક્યારે આવશે તે પણ હજી નિશ્ચિત નથી.

નેનો યુરિયાના શું છે ફાયદા

અવાર નવાર DAP યુરિયા ખાતરની અછત વચ્ચે ખેડૂતો પોતાનો સિઝન પાક સરળતાથી લઈ શકે એ માટે પંચમહાલ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજી દ્વારા ક્લસ્ટર બેઝ નેનો યુરીયા છંટકાવ અભિયાન પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતો પણ આ ટેકનોલોજી ફાયદાકારક હોવાનું જણાવીને આવકારી રહ્યા  છે.

ખેડૂત માં જાગૃતિ આવે અને ખેડૂતો વધુમાં વધુ નેનો યુરીયાનો ઉપયોગ તરફ વળે એ માટે પંચમહાલ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા નેનો યુરિયા છટકાવ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જેતે વિસ્તારનાં ગ્રામ સેવક સાથે રાખી ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજી મદદથી નેનો યુરિયા છટકાંવ વિશે માહિતી પૂરી પાડવામા આવી રહી છે. જે પ્રયાસના ભાગરૂપે ગોધરા તાલુકાના ખેડૂતો દિવેલા, કપાસ, તમાકુ જેવાં પાકોમાં નેનો યુરિયાનો છંટકાવ કરાવી રહ્યા છે. ખેતીવાડી વિભાગના 1500 એકરનાં લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 150 એકરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો, જ્યારે જીલ્લાનાં 163 ખેડૂતોએ નેનો યુરીયા છંટકાવ માટેની અરજી પણ કરી છે.

નેનો યુરિયાનાં ફાયદા વિશે જાણીએ તો બે યુરીયા ખાતરની બેગ બરાબર એક નેનો યુરીયાનો વપરાશ થાય છે. નેનો યુરિયા છંટકાવ માટે એક એકર દીઠ રૂપિયા 850 ખર્ચ થાય છે, જેમાં ખેડૂતે માત્ર 350 રૂપિયા ચૂકવવાનાં રહે છે. એક ખેડૂત વધુમાં વધુ પાંચ એકર ખેતીમાં નનો યુરિયા ખાતરનો છંટકાવ કરાવી શકે છે.
ડ્રોન ટેકનોલોજી મદદથી નેનો યુરિયા ખાતરનો છટકાવ સરળતાથી કરી શકાય છે અને યુરિયા બેગની સરખામણીમાં નેનો યુરિયા ખાતરની કિંમત ઓછી હોય છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget