શોધખોળ કરો

Banaskantha: રાજગરાનું વાવેતર કરનાર ખેડૂતો પૂરતા ભાવ ન મળતા મૂકાયા મુશ્કેલીમાં 

બનાસકાંઠા જિલ્લામાં રાજગરાનું મોટા પ્રમાણમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.  જો કે હવે રાજગરો લેવાની શરૂઆત થઈ છે અને માર્કેટ યાર્ડમાં રાજગરાની આવક શરૂ થઈ છે.

બનાસકાંઠા:  બનાસકાંઠા જિલ્લામાં રાજગરાનું મોટા પ્રમાણમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.  જો કે હવે રાજગરો લેવાની શરૂઆત થઈ છે અને માર્કેટ યાર્ડમાં રાજગરાની આવક શરૂ થઈ છે પરંતુ ગત વર્ષ કરતાં રાજગરાના ભાવમાં 300થી 400 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન રાજગરાનું વાવેતર મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે.  જોકે આ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં રાજગરાનું વાવેતર તો કર્યું હતું પરંતુ વાતાવરણમાં પલટો અને પવન અને વરસાદના કારણે ઘણી જગ્યાએ ખેડૂતોને નુકસાન પણ પાકોમાં થયું હતું ત્યારે રાજગરાનું વાવેતર કરનાર ખેડૂતોને પણ ઉત્પાદનમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.  જો કે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ઉત્પાદન સારું છે પરંતુ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  ગત વર્ષે 1700થી 1800 રૂપિયા એક મણનો ભાવ હતો જે અત્યારે 1,300 થી 1,500 સુધીનો જ ભાવ છે એટલે કે મણ દીઠ 300થી 400 રૂપિયા જેટલો ભાવ ઘટતા ખેડૂતોને પૂરતો ભાવ નથી મળી રહ્યો જેનાથી ખેડૂતો નારાજ છે.

રાજગરાની આવક તો માર્કેટ યાર્ડ માં શરૂ થઈ ગઈ છે.  સારા પ્રમાણમાં આવક પણ થઈ રહી છે પરંતુ ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 300થી 400 રૂપિયાનો ઘટાડો આ વખતે ભાવમાં જોવા મળતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે.  સિઝન દરમિયાન માવઠા અને પવનના કારણે પણ ખેડૂતોને નુકસાન ભોગવાનું વારો આવ્યો હતો અને હવે ભાવ ઓછા મળવાના કારણે પણ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોની માંગ છે કે જો રાજગરામો ભાવ વધારો કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે. 

ચણાના પાકમાં આવતા વાયરસને નિવારવા રાજ્ય સરકારે જાહેર કર્યા રોગ નિયંત્રણ પગલાં

રાજ્યના ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. હાલ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ચણાના પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસ જેવા રોગ જોવા મળતા, તે અંગે ખેડૂતોને જાગૃત કરવા તેમજ પાકને આ રોગોથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ માટેના પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. 

વધુમાં જણાવ્યા અનુસાર, સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસને અસરકારક રીતે નિવારવા માટે અસરગ્રસ્ત છોડ પર કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ પ્રતિ લિટર દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત પી. ફ્લોરોસેન્સ અથવા ટી. વિરીડી ૨.૫ કિગ્રા પ્રતિ હેકટર ૫૦ કિગ્રા ખાતર સાથે અસરગ્રસ્ત છોડની ઉપર છંટકાવ કરવાથી આ રોગ નિયંત્રણમાં આવે છે.

સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે, અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાય છે

સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે, અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાય છે. તેના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૨ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. જેવાં શોષક પ્રકારની કીટનાશકને ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી વાયરસ નિયંત્રણમાં આવે છે. 

૧ ટન પ્રતિ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવી છે

સુકારા રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા.ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવાથી રોગ નિયંત્રણમાં આવે છે. ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડમાં વીરીડી અથવા ટ્રાઈકોડમાં હરજીએનમ (૨×૧૦* સીએફયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને ૧ ટન પ્રતિ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવી છે. 

ચણાના પાકમાં થતા આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ચણાના પાકમાં થતા આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે. આ રોગમાં વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી ધરૂ અવસ્થામાં છોડ સૂકાઈને જમીન પર ઢળી પડે છે. પાછોતરો સુકારો પાકની ૩૦ થી ૩૫ દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે, જેના કારણે પાન પીળા પડે છે અને ધીરે ધીરે આખો છોડ સૂકાઇ જાય છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: બે દિવસ ગુજરાતમાં વરસાદ કાઢશે ભુક્કા! ચોંકાવનારી આગાહી, જુઓ અહેવાલ
Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર  કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?
Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
Embed widget