શોધખોળ કરો
મોદીના બંદોબસ્તમાં પોલીસ બાખડ્યાઃ DCPએ PSIને લાકડી મારી, PSIએ જવાબમાં લાફો ઠોકી દીધો
1/5

અમદાવાદ : શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ એરપોર્ટ પર આગમન પહેલાં બંદોબસ્ત માટે હાજર એક ડીસીપીને એક પીએસઆઈએ લાફો ઝીંકીં દેતાં સનસનાટી મચી ગઈ છે. અમદાવાદના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાએ આ ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપ્યા છે.
2/5

મોદીનું આગમન થવાનું હોવાથી એ સમયે તો અધિકારીઓએ બંનેને સમજાવીને રવાના કર્યા હતા પણ પછી આ ઘટના અંગે પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાને ફરિયાદ કરી હતી. ઝાએ તેની ગંભીરતાથી નોંધ લઈને ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ સી.પી. જે. કે. ભટ્ટને તપાસ કરવા કહ્યું છે. બીજી તરફ ડીસીપીને તમાચો ઠોકી દેનારા પીએસઆઈ ચૌધરીએ પોતાને ગંભીર ઈજા થઈ છે તેવું જાહેર કરીને એલ.જી. હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે. આ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓ કશું બોલવા તૈયાર નહોતા પણ ઝાએ તપાસ સોંપતાં મામલો બહાર આવી ગયો છે.
Published at : 17 Sep 2016 01:59 PM (IST)
View More























