શોધખોળ કરો
હાર ભાળી ગયેલ ભાજપે મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડની રમત શરૂ કરી, કયા નેતાએ આપ્યું આ નિવેદન, જાણો વિગતે
1/6

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 14 તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોમવારે જણાવ્યું હતું કે હારની બીકે ભારતીય જનતા પાર્ટી વિકાસનો ખોટો દેખાડો બંધ કરવા મજબૂર થઈ મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડ રમી રહ્યો છે.
2/6

તેણે વધુમાં કહ્યું હતું કે, મને જીતનો વિશ્વાસ છે. ગુજરાતમાં વિકાસનો મુદ્દો પાછળ જતો રહ્યો છે કેમ કે સત્તાધારી ભાજપ છેલ્લા ઉપાય તરીકે સાંપ્રદાયિક કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે. આ બધાં પોતાનો વાસ્તવિક રંગ બતાવી રહ્યા છે. મહિનાઓ સુધી વિકાસની વાત કરશે, પરંતુ છેલ્લા સમયે મતદારોનું ધ્રુવીકરણ કરશે.
Published at : 12 Dec 2017 09:14 AM (IST)
View More























