શોધખોળ કરો
પાસનો હુંકારઃ કોઈ ગમે તે કરે ક્રાંતિકારી કાર્યકર સંમેલન ઉમિયાધામમાં જ યોજાશે
1/3

પાસના કન્વીનર મનોજ પનારાના જણાવ્યા પ્રમાણે, પાટીદાર સમાજના શહીદ પરિવારને રૂ.૩પ લાખની આર્થિક મદદ કરવી અને કુટુંબના એક સભ્યને સરકારી નોકરી આપવી. પાટીદાર આયોગનું ગઠન કરવું. પાટીદાર યુવકો સામે થયેલા કેસ પરત ખેંચવા તેમજ લાઠીચાર્જ સહિતના બનાવમાં દોષિત અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવા જેવી પાંચ મુખ્ય માગણી સંદર્ભે ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે.
2/3

સંમેલનમાં રાજ્ય સરકારને નિર્ધારીત સમયમાં નિરાકરણ લાવવા અલ્ટિમેટમ અપાશે. આ સંમેલન આગામી તા.પ ઓગસ્ટે બપોરે ૩ કલાકે સોલા ઉમિયા ધામ ખાતે યોજાશે. જોકે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને મંજૂરી નથી પરંતુ પાસ સંમેલન યોજવા મક્કમ હોવાથી સંઘર્ષના એંધાણ વર્તાઇ રહ્યા છે. આ સંમેલનમાં આશરે ૨૫ હજાર કાર્યકરો જોડાશે તેવો પણ પાસના અગ્રણીઓનો દાવો છે.
Published at : 03 Aug 2017 02:56 PM (IST)
View More





















