શોધખોળ કરો
પાટીદારોના મામલે ગેહલોતે ભરતસિંહ-સિધ્ધાર્થ પટેલને કેમ તતડાવી નાંખ્યા ? જાણો વિગત
1/6

સિદ્ધાર્થ પટેલે ‘પાસ’ ટીમને મોટા ઉપાડે દિલ્હી બોલાવી હતી અને અનામત મુદ્દે ચર્ચા કરવાની વાત કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતાઓ કોંગ્રેસના નિમંત્રણથી દિલ્હી ગયા હતા પણ દિલ્હી દોડી ગયેલી ‘પાસ’ ટીમને કોંગ્રેસે બેઠક માટે સમય જ ના ફાળવતાં પાસ ટીમ ખફા થઈ હતી.
2/6

પ્રદેશ કોંગ્રેસના નેતાઓના કારણે પાસ ટીમને નિરાશ થઈ પરત ફરવું પડયું છે તે શરમજનક કહેવાય તેમ તેમણે કહેતાં પ્રભારી અશોક ગેહલોતે લાલઘૂમ થઈને ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલને બરોબરના ખખડાવી નાંખ્યા હતા. તેમણે તાબડતોબ પાટીદારોનો સંપર્ક કરીને તેમને મનાવવા માટે સૂચના આપી હતી.
Published at : 19 Nov 2017 10:27 AM (IST)
View More























