શોધખોળ કરો

Hanuman Chalisa Mahima: ખૂબ ચમત્કારી છે હનુમાન ચાલીસા, દરરોજ પાઠ કરવાથી સમસ્યાઓમાંથી મળે છે છૂટકારો

Hanuman Chalisa Mahima:હનુમાન ચાલીસા એ વિશ્વની સૌથી સરળ અને શક્તિશાળી સ્તુતિ છે

લેખકઃ આચાર્ય તુષાર જોશી, રાજકોટ

હનુમાનજી અને હનુમાન ચાલીસા બંન્નેમાં ભારતીય સંસ્કૃતિમાં અવર્ણનીય શ્રદ્ધા છે. હનુમાનજીનું નામ આવતાની સાથે જ આપણી અંદર એક અદભૂત શક્તિ વહેવા લાગે છે. હનુમાન ચાલીસા એ વિશ્વની સૌથી સરળ અને શક્તિશાળી સ્તુતિ છે. તે એકંદરે ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. તેની તમામ ચોપાઇ અલગ અલગ રીતે શક્તિશાળી છે. હનુમાન ચાલીસા દ્વારા જીવનની દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. હનુમાન ચાલીસાના પાઠ પૂર્ણ કરવાથી સાધક ચમત્કારિક બની જાય છે.

હનુમાન ચાલીસાના પાઠ કરવાના નિયમો

-હનુમાન ચાલીસાનો સંપૂર્ણ પાઠ કરવામાં લગભગ 10 મિનિટનો સમય લાગે છે.

-હનુમાનજી અને તેમના પૂજનીય મર્યાદા પુરુષોત્તમ શ્રીરામજીનું ચિત્રની સ્થાપના કરો.

-આ પછી તેમની સામે પાણી ભરેલું વાસણ રાખો.

-પહેલા ભગવાન રામનું અને પછી હનુમાનજીનું ધ્યાન કરો.

-આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો.

-હનુમાન ચાલીસાનો પાઠ ઓછામાં ઓછા એક વખતથી લઈને સો વખત કરી શકાય છે.

-પાઠ કર્યા પછી પ્રસાદ તરીકે પાણી ગ્રહણ કરો.

-હંમેશા એ પ્રયાસ કરો કે હનુમાન ચાલીસાના પાઠનો સમય દરરોજ એક જ હોવો જોઈએ.

-ખાસ સંજોગોમાં મુસાફરી દરમિયાન અને સૂતા પહેલા પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે.

 

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આ લાભ થાય છે

 

દુષ્ટ આત્માઓને ભગાડે છે

હનુમાનજી ખૂબ જ બળવાન હતા અને તેઓ કોઈથી ડરતા ન હતા. હનુમાનજીને ભગવાન માનવામાં આવે છે અને તે તમામ દુષ્ટ આત્માઓનો નાશ કરે છે અને લોકોને તેમાંથી મુક્ત કરે છે. જે લોકોને રાત્રે ડર લાગે છે અથવા તેમના મનમાં ડરામણા વિચારો આવતા રહે છે, તેમણે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

  1. સાડા સાતીની અસર ઓછી કરે છે

હનુમાન ચાલીસા વાંચીને તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો અને સાડા સાતીની અસર ઘટાડવામાં સફળ થઈ શકો છો. કથા મુજબ હનુમાનજીએ શનિદેવનો જીવ બચાવ્યો હતો અને ત્યારે શનિદેવ પ્રસન્ન થયા અને કહ્યું કે આજથી તેઓ કોઈપણ હનુમાન ભક્તનું કોઈ નુકસાન નહીં કરે.

  1. આપણને પાપથી મુક્ત કરે છે

આપણે ક્યારેક જાણી-અજાણે ભૂલો કરીએ છીએ. પરંતુ તમે હનુમાન ચાલીસા વાંચીને તેમની ક્ષમા માંગી શકો છો. રાત્રે 8 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમે દરેક પ્રકારના પાપોથી મુક્ત થઈ શકો છો.

  1. વિઘ્નો દૂર કરે છે

જે રાત્રે હનુમાન ચાલીસા વાંચશે તેનું હનુમાનજી સ્વયં આવીને રક્ષણ કરશે. નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે જો ક્યારેય મનમાં કોઈ વાતનો ડર લાગે અથવા તો હનુમાન ચાલીસા વાંચો. આમ કરવાથી મન શાંત થાય છે અને ડર રહેતો નથી. હિન્દુ ધર્મમાં હનુમાન ચાલીસાનું ઘણું મહત્વ છે. હનુમાન ચાલીસા વાંચવાથી શનિ ગ્રહ અને સાડા સાતીનો પ્રભાવ ઓછો થાય છે. હનુમાનજી રામજીના પરમ ભક્ત છે. દરેક વ્યક્તિમાં હનુમાનજી જેવી સેવા-ભક્તિ હોય છે. હનુમાન-ચાલીસા એ એક એવી કૃતિ છે જે હનુમાનજી દ્વારા વ્યક્તિને પોતાની અંદર રહેલા ગુણોથી વાકેફ કરે છે. તેના પાઠ અને ધ્યાન કરવાથી બળ અને બુદ્ધિ જાગૃત થાય છે. હનુમાન-ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિ પોતાની શક્તિ, ભક્તિ અને કર્તવ્યનું મૂલ્યાંકન કરી શકે છે.

જાણો હનુમાન ચાલીસાની કઈ ચોપાઈથી થાય છે ચમત્કાર!

જો કે હનુમાન ચાલીસાના દરેક ચોપાઇ અને દોહા ચમત્કારી છે, પરંતુ કેટલીક ચોપાઇ એવી છે જે ખૂબ જ ઝડપથી અસર કરે છે. આ ચોપાઈઓ પણ સૌથી વધુ લોકપ્રિય છે અને ઘણા લોકો સમયાંતરે તેનો જાપ કરે છે. અહીં જાણો કેટલીક ખાસ ચોપાઈઓ અને તેમના અર્થ. આ ઉપરાંત જાણો હનુમાન ચાલીસાની કઈ ચોપાઈથી કયા ચમત્કારો થાય છે.

रामदूत अतुलित बलधामा। अंजनिपुत्र पवनसुत नामा।।

જો કોઈ વ્યક્તિ આ ચોપાઈનો જાપ કરે છે તો તેને શારીરિક નબળાઈઓમાંથી મુક્તિ મળે છે. આ પંક્તિનો અર્થ એ છે કે હનુમાનજી શ્રી રામના દૂત છે અને અતુલિત બળના ધામ છે. એટલે કે હનુમાનજી અત્યંત શક્તિશાળી છે. તેમની માતાનું નામ અંજની છે, તેથી જ તેને અંજની પુત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, હનુમાનજીને પવન દેવતાના પુત્ર માનવામાં આવે છે, તેથી જ તેમને પવનસુત પણ કહેવામાં આવે છે.

महाबीर बिक्रम बजरंगी। कुमति निवार सुमति के संगी।।

જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાની માત્ર આ પંક્તિનો જપ કરે તો તેને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ પંક્તિનો જાપ કરનારા લોકોના ખરાબ વિચારો નાશ પામે છે અને સારા વિચારો આવવા લાગે છે. ધ્યાન દુષ્ટતાથી હટાવવામાં આવે છે અને ભલાઈ તરફ ધ્યાન દોરવામાં આવે છે. આ પંક્તિનો અર્થ એ છે કે બજરંગબલી મહાવીર છે અને હનુમાનજી કુમતિને અટકાવે છે એટલે કે કુમતિને દૂર કરે છે અને સુમતિ એટલે કે સારા વિચારોને વધારે છે.

बिद्यबान गुनी अति चातुर। रामकाज करीबे को आतुर।।

જો કોઈ વ્યક્તિને જ્ઞાન અને સંપત્તિ જોઈતી હોય તો તેણે આ પંક્તિનો જાપ કરવો જોઈએ. આ પંક્તિનો જાપ કરવાથી આપણને જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ આપણા હૃદયમાં શ્રી રામ પ્રત્યેની ભક્તિ પણ વધે છે. આ ચોપાઈનો અર્થ એ છે કે હનુમાનજી જ્ઞાની અને ગુણવાન છે. હનુમાનજી પણ ચતુર છે. તે શ્રી રામનું કામ કરવા માટે હંમેશા તત્પર રહે છે. જે આ ચોપાઈનો જાપ કરે છે તેને હનુમાનજી જેવી જ્ઞાન, ગુણ, ચતુરાઈ સહિત શ્રી રામની ભક્તિ પ્રાપ્ત થાય છે.

भीम रूप धरि असुर संहारे। रामचंद्रजी के काज संवारे।।

જ્યારે તમે દુશ્મનોથી પરેશાન હોવ અને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાન ચાલીસાની આ પંક્તિનો જાપ એકાગ્રતા અને ભક્તિ સાથે કરવામાં આવે તો શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. શ્રી રામના આશીર્વાદ મેળવે છે. આ પંક્તિનો અર્થ એ છે કે શ્રી રામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં હનુમાનજીએ ભીમનું રૂપ એટલે વિશાળ રૂપ ધારણ કર્યું હતું અને રાક્ષસોનો સંહાર કર્યો હતો. શ્રી રામના કાર્યને પૂર્ણ કરવામાં હનુમાનજીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જેના કારણે શ્રી રામનું તમામ કાર્ય પૂર્ણ થયા હતા.

लाय संजीवन लखन जियाये। श्रीरघुबीर हरषि उर लाये।।

આ પંક્તિનો જાપ કરવાથી ગંભીર રોગોથી પણ મુક્તિ મળી શકે છે. જો કોઈ વ્યક્તિ કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય અને દવાઓ પણ અસર ના કરતી હોય ત્યારે તે તેણે હનુમાન ચાલીસા અથવા આ પંક્તિનો ભક્તિભાવથી જાપ કરવો જોઈએ. દવાઓની અસર થવા લાગશે અને રોગ ધીરે ધીરે ઠીક થવા લાગશે. આ ચોપાઇનો અર્થ એ છે કે રાવણના પુત્ર મેઘનાદે લક્ષ્મણને બેભાન કરી દીધા હતા. પછી બધી દવાઓથી લક્ષ્મણની ચેતના પાછી ફરી રહી નહોતી. ત્યારબાદ હનુમાનજી સંજીવની દવા લાવ્યા અને લક્ષ્મણનો જીવ બચાવ્યો હતો. હનુમાનજીના આ ચમત્કારથી શ્રી રામ ખૂબ જ ખુશ થયા.

શ્રી રામના મહાન ભક્ત હનુમાનજી સૌથી સરળતાથી પ્રસન્ન થનારા દેવતાઓમાંના એક છે. શાસ્ત્રો અનુસાર, બજરંગ બલી માતા સીતાના વરદાનને કારણે અમર હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આજે પણ જ્યાં પણ રામચરિત માનસ અથવા રામાયણ અથવા સુંદરકાંડનો પાઠ પૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે છે, ત્યાં હનુમાનજી ચોક્કસપણે પ્રગટ થાય છે. તેમને ખુશ કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરે છે. જો કોઈ વ્યક્તિ આખી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં અસમર્થ હોય તો તે પોતાની ઈચ્છા મુજબ માત્ર થોડી જ પંક્તિઓનો જપ કરી શકે છે.

માત્ર હનુમાન ચાલીસા જ નહીં, તમામ દેવી-દેવતાઓની મુખ્ય સ્તુતિમાં માત્ર ચાલીસ જ દોહા હોય છે. વિદ્વાનોના મતે ચાલીસા એટલે કે ચાલી, સંખ્યા ચાલીસ, આપણા દેવી-દેવતાઓની સ્તુતિમાં માત્ર ચાલીસ સ્ત્રોતોનો સમાવેશ થાય છે. જેમ કે શ્રી હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા, શિવ ચાલીસા વગેરે. આ સ્તુતિઓમાં માત્ર ચાલીસ જ દોહા શા માટે હોય છે? તે ધાર્મિક દ્રષ્ટિકોણ ધરાવે છે. આ ચાલીસ સ્તુતિઓ સંબંધિત દેવતાના પાત્ર, શક્તિ, કાર્ય અને મહિમાનું વર્ણન કરે છે.

ચાલીસ ચોપાઈ આપણા જીવનની પૂર્ણતાનું પ્રતિક છે, તેમની સંખ્યા ચાલીસ નક્કી કરવામાં આવી છે કારણ કે માનવ જીવન 24 તત્વોથી બનેલું છે અને સમગ્ર જીવનકાળમાં તેના માટે કુલ 16 ધાર્મિક સંસ્કાર નિર્ધારિત કરવામાં આવી છે. આ બંન્ને યોગનો 40 છે. આ 24 તત્વોમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત, 5 તન્માત્રા, 4 અંતકરણનો સમાવેશ થાય છે.

 

સોળ સંસ્કાર આ પ્રકારે છે

  1. ગર્ભધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3. સીમન્તોન્નયન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ સંસ્કાર 6. નિષ્ક્રમણ સંસ્કાર 7. અન્નપ્રાશન સંસ્કાર 8. ચૂડાકર્મ સંસ્કાર 9. વિદ્યારંભ સંસ્કાર 10. સંસ્કાર 11. યજ્ઞોપવીત સંસ્કાર, વેદારમ્ભ સંસ્કાર, કેશાન્ત સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, પાણિગ્રહણ સંસ્કાર, અંત્યષ્ટિ સંસ્કાર.

 

જો હનુમાન ચાલીસાના કેટલાક વિશેષ પ્રયોગો કરવામાં આવે તો વિશેષ સમસ્યાઓનો ઉકેલ પણ મળી શકે છે.

 

-વિશેષ લાભ મેળવવા માટે લાલ અક્ષરે લખેલી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

-કેસ અને વિવાદોમાંથી મુક્તિ મેળવવા માટે સંકલ્પ લઈને હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરવો જોઈએ.

-મંગળની સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે હનુમાન ચાલીસાનું વિતરણ કરવું જોઈએ.

-પીળા કાગળ પર લાલ રંગમાં હનુમાન ચાલીસા લખો અને હંમેશા તમારી સાથે રાખો. તમે હંમેશા મુશ્કેલીઓથી સુરક્ષિત રહેશો.

-સૂર્યની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમામ ગ્રહો શાંત અને બળવાન બને છે.

-જો તમે હનુમાન ચાલીસાના પાઠની સૌથી શક્તિશાળી અસર જોવા માંગો છો, તો તેનો પાઠ સૂર્યની સામે કરો. હનુમાનજીને હનુમાન ચાલીસા દ્વારા તેમની શક્તિઓનું સ્મરણ કરાવી શકાય છે.

-ભગવાનની આ સ્તુતિઓમાં આપણે તેને ફક્ત આ તત્વો અને સંસ્કારોની પ્રશંસા તો કરીએ છીએ સાથે જ ચાલીસા સ્તુતિમાંથી જીવનમાં થયેલા દોષોની માફી પણ માંગીએ છીએ. આ ચાલીસ ચોપાઈમાં સોળ સંસ્કારો અને 24 તત્વોનો પણ સમાવેશ થાય છે. જેના કારણે જીવનની ઉત્પત્તિ થાય છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
Embed widget