શોધખોળ કરો

બજેટ 2020માં ખેડૂતો પર મહેરબાન મોદી સરકાર, અન્નદાતાથી ઉર્જાદાતા બનાવવા માટે લોન્ચ કરી કુસુમ સ્કીમ

ખેડૂતો માટે મોદી સરકાર પંચાયત સ્તર પર નવા વેર હાઉસ બનાવશે. સાથે જ ખેડૂતો માટે ખેડૂત રેલ ચલાવવામાં આવશે.

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દાયકાનું પ્રથમ અને મોદી સરકાર 2.0નું બીજું બજેટ રજૂ કરતાં દેશના અન્નદાતા એટલે કે ખેડૂતો માટે કુસુમ યોજનાની જાહેરાત કરી છે. ખેડૂતોની આવક 2022 સુધીમાં ડબલ કરવાની પોતાની સરકારની પ્રતિબદ્ધતા પણ બજેટમાં દર્શાવી છે. સીતારમણે કહ્યું કે, ખેત બજારોને વધારે ઉદાર બનાવા, ખેતીને પ્રતિસ્પર્ધી બનાવવા, ખેત આધારિત ગતિવિધિઓને મદદ ઉપલદ્ધ કરાવવાની જરૂરત છે. નાણામંત્રીએ કહ્યું કે, સરકારે ખેડૂતોની ભલાઈ માટે 16 સૂત્રીય યોજના બનાવી છે. આ વખતે બજેટમાં ખેડૂતો માટે કુસુમ યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 20 લાખ ખેડૂતોના ખેતરમાં સોલર પંપ લગાવવામાં આવશે. આ સોલર પંપ ખેડૂતોની પડતર જમીન પર લગાવવામાં આવશે. ખેતીની સાથે સોલર એનર્જીને પણ પ્રોત્સાહન આપશે મોદી સરકાર. આ યોજનાના માધ્યમથી ખેડૂતોને અન્નદાતાથી ઉર્જાદાતા બનાવવાનો સરકારનો ટાર્ગેટ છે. કૃષિ ભૂમિ પટ્ટા આદર્શ અધિનિયમ-2016, કૃષિ ઉપજ અને પશુધન મંડી આદર્શ અધિનિયમ-2017, કૃષિ ઉપજ ને પશુધન અનુબંધ ખેતી, સેવા અને સંવર્ધન અને સુગમીકરણ આદર્શન અધિનિયમ-2018 લાગુ કરનાર રાજ્યોને પ્રોત્સાહન કરવામાં આવશે. ઉપરાંત ખેડૂતો માટે મોદી સરકાર પંચાયત સ્તર પર નવા વેર હાઉસ બનાવશે. સાથે જ ખેડૂતો માટે ખેડૂત રેલ ચલાવવામાં આવશે. દૂધ, માંસ અને માછલીની સપ્લાઈ ખેડૂત રેલ દ્વારા કરવામાં આવશે. સરકારે બજેટમાં દૂધ ઉત્પાદન 2025 સુધી બે ગણું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. માછલી પાલન માટે સાગર મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે. 2020-21માં સરકારે 15 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન વહેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. 2022 સુધી 200 લાખ ટન માછલી ઉત્પાદનનો ટાર્ગેટ રાખ્યો છે. સરકારે દાળોની ખેદી અને લઘુ સિંચાઈ પર વિશેષ ધ્યાન આપવાની વાત કહી છે. પાણીની ઘટવાળા 100 જિલ્લા માટે વિશેષ યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેતીમાં યોગ્ય પાણી અને યોગ્ય ખાતર પર ભાર મુકવામાં આવ્યો છે. રાસાયણિક ખાતરની જગ્યાએ જૈવિક ખાતરનો ઉપયોગ વધારે થાય તેના પર ભાર મુકવામાં આવ્યો. પીએમ કિસાન યોજનાથી ખેડૂતોને ફાયદો થયો છે. પીએમ ખેડૂત બીમા યોજનાથી 6.1 કરોડ ખેડૂતોને ફાયદો થયો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget