શોધખોળ કરો
500-1000ની નોટ બંધ થતા જ્વેલર્સને બખ્ખાં, સોનાના વેચાણમાં 200 ટકાનો ઉછાળો, જાણો માત્ર 4 કલાકમાં કેટલું સોનું વેચાયું
1/5

દેશભરમાંથી મળેવા અહેવાલો અનુસાર જ્વેલરી ઉદ્યોગમાં વેપાર નોંધપાત્ર રીતે ઊંચા થયા હતા અને આશરે 200 ટકાના વેપારો થયા હતા. ઉદ્યોગમાં સરેરાશ દિવસે બે ટનના વેપાર થાય છે. વડા પ્રધાન મોદીએ કરચોરી ડામવા અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવા માટે રૂ. 500 અને રૂ. 1000ની નોટ પર ગઈ કાલે રાતથી સામાન્ય વ્યવહારોમાં પ્રતિબંધ મૂક્યો હતો. જેને કારણે સ્થાનિક બજારમાં સોનાની માગ અને પુરવઠામાં તફાવત સર્જાતાં સોના-ચાંદી ઊંચા પ્રીમિયમે વેચવામાં આવ્યાં હતાં.
2/5

જ્વેલરી ઉદ્યોગે કરચોરી પર અંકુશ મેળવવા માટે અને કરવેરાનું પાલન કરવા માટે સરકારના રૂ. 500ની અને રૂ. 1000ની નોટો પરના મૂકવામાં આવેલા પ્રતિબંધના નિર્ણયને યોગ્ય નિર્ણય ગણાવ્યો હતો અને નિર્ણયનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને કરેલી જાહેરાતને પગલે જ્વેલરીની દુકાનો મોડી રાત સુધી ખુલ્લી હતી.
Published at : 10 Nov 2016 08:21 AM (IST)
View More




















