શોધખોળ કરો
પગારદાર કરદાતાઓએ હવે TDS કપાતની જાણકારી માટે રાહ નહીં જોવી પડે, જાણો કેવી રીતે
1/3

નવી દિલ્હીઃ દેશભરમાં અંદાજે અઢી કરોડ પગારદાર ટેક્સ પેયરને તેના ત્રિમાસિક ટીડીએસ કપાત વિશે આવકવેરા વિભાગ તરફથી એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ સોમવારે આ સેવાની શરૂઆત કરી છે. આ સુવિધાના લોન્ચિંગ પર માહિતી આપવામાં આવી છે કે જ્યારે TDS દ્વારા પૈસા કપાય બાદ આવકવેરા વિભાગ દ્વારા પાસ કર્યા બાદ કર્મચારીને SMS દ્વારા માહિતી પહોંચાડવામાં આવશે. હાલ આ સુવિધાનો લાભ અઠિ કરોડ પગારદારોને પ્રાપ્ત થશે તેમને SMS દ્વારા માહિતી પહોંચાડવામાં આવશે.
2/3

એવા પણ કેટલાક કિસ્સા સામે આવ્યાં છે. જેમાં પગારમાંથી આવકવેરો કાપી લેવામાં આવ્યો હોય, પંરતુ વિભાગ પાસે જમા ન થયો હોય. આ સુવિધાથી આ તમામ સમસ્યાનો અંત આવી જશે. ફ્રોડથી બચાવામાં આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સિસ્ટમથી કર્મચારીને ખ્યાલ આવી જશે કે પગારમાંથી કટ થયેલો આવકવેરો વિભાગ પાસે જમા થયો છે કે નહીં.
Published at : 25 Oct 2016 10:11 AM (IST)
View More





















