ભરૂચ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં સસરાએ પોતાની પુત્રવધૂ અને વેવાણની ચપ્પુ મારી હત્યા કરી હતી.
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
Bharuch Double Murder: વ્હોરાવાડ અને કોઠી વિસ્તારની હચમચાવનારી ઘટના; 2 હત્યાઓ કર્યા બાદ સસરાએ પોતાના પર પણ છરીના ઘા ઝીંક્યા, હત્યાનું કારણ અકબંધ.

- ભરૂચમાં સસરાએ પુત્રવધૂ અને વેવાણની ચપ્પુથી ઘાતકી હત્યા કરી.
- આરોપી ઝૈનુલ ઝનોરવાલાએ હત્યા બાદ આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો.
- આરોપી હોસ્પિટલમાં દાખલ, પોલીસ હત્યાનું સાચું કારણ શોધી રહી છે.
Bharuch Double Murder: ભરૂચ શહેરમાંથી 1 અત્યંત ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. આ ઘાતકી હત્યાકાંડને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
અહીં રહેતા 1 સસરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જ પુત્રવધૂ અને વેવાણ (પુત્રવધૂની માતા) પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારીને સસરાએ બંને મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધી છે.
આ ભયાનક ડબલ મર્ડરની વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી સસરાએ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હૃદય કંપાવી મૂકનારી આ ઘટના ભરૂચના વ્હોરાવાડ અને કોઠી વિસ્તારમાં બની છે. જ્યાં ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલા નામના વ્યક્તિએ પોતાની પુત્રવધૂ અલીફીયા અને વેવાણ શહેનાઝબેન નમકવાલા પર એકાએક ચપ્પુથી ઘાતકી હુમલો કરી દીધો હતો.
આ હિંસક હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે બંને કમનસીબ મહિલાઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ લોહિયાળ ખેલ બાદ આસપાસના વિસ્તારમાં સનાટો ખીચી ગયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
પોતાની પુત્રવધૂ અને તેની માતાની નિર્મમ હત્યા કર્યા પછી પણ આરોપી ઝૈનુલ ઝનોરવાલા અટક્યો ન હતો. તેણે એ જ લોહીલુહાણ ચપ્પુ વડે પોતાના હાથ, પગ અને ગળાના ભાગે ઘા મારીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો.
હાલમાં આ ડબલ મર્ડરના આરોપી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સસરા ઝૈનુલ ઝનોરવાલાને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ પોલીસ દેખરેખ હેઠળ છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
જોકે, 1 જ પરિવારના 2 સભ્યોની થયેલી આ ઘાતકી હત્યાઓ પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસની ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી આ મર્ડર પાછળનું રહસ્ય ઉકેલવા અને સાચું કારણ જાણવા સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
Frequently Asked Questions
ભરૂચમાં કઈ ઘટના બની છે?
આ હત્યાકાંડમાં કોણ ભોગ બન્યું અને કોણે કર્યો હુમલો?
પુત્રવધૂ અલીફીયા અને વેવાણ શહેનાઝબેન નમકવાલાની હત્યા થઈ છે. આરોપી સસરા ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ આ ઘાતકી હુમલો કર્યો હતો.
હત્યા કર્યા બાદ આરોપીનું શું થયું?
હત્યા કર્યા બાદ આરોપી સસરા ઝૈનુલ ઝનોરવાલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
આ ડબલ મર્ડર પાછળનું કારણ શું છે?
આ ઘાતકી હત્યાઓ પાછળનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ ટીમે પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે.






















