![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
છોટાઉદેપુરઃ સવિતાએ પ્રેમી રમેશને મળવા માટે જંગલમાં બોલાવ્યો, પ્રેમી આવતાં જ......
ભૂતકાળમાં આ પ્રેમ સંબંધની જાણ રમેશ તડવીની પત્નીને થતાં જે તે સમયે સંબંધ નો અંત આવ્યો હતો, પરંતુ છેલ્લા બે મહિનાથી ફરી મૃતક રમેશ તડવી પ્રેમિકા સાથે સંપર્ક બનાવવાની કોશિશ કરતાં ખૂની ખેલનો કારશો ઘડાયો.
![છોટાઉદેપુરઃ સવિતાએ પ્રેમી રમેશને મળવા માટે જંગલમાં બોલાવ્યો, પ્રેમી આવતાં જ...... Chhotaudepur murder case solve : Woman call to lover and invite for meeting છોટાઉદેપુરઃ સવિતાએ પ્રેમી રમેશને મળવા માટે જંગલમાં બોલાવ્યો, પ્રેમી આવતાં જ......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/08/cefa1df23b166a74c6aa418931c69309_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાવીજેતપુરઃ લગ્નોત્તર પ્રેમ સંબંધના કારણે બે પરિવાર ઉજડયાની ઘટના બની છે. પ્રેમીની પ્રેમિકા અને તેના પતિએ હત્યા કરી નાંખી છે. આરોપી મહિલા પોલીસ ગિરફતમાં ગઈ તો આરોપી પતિએ આપઘાત કરી લેતાં બે પરિવાર ઉજળી ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના બાર ગામ નજીક જંગલમાં ચૂલીડેમ પ્રાથમિક શાળાના શિક્ષક રમેશ રાઠવાનો મૃતદેહ મળ્યો.
બનાવ અંગે પ્રથમ કદવાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી, પરંતુ પોસ્ટ માર્ટમ રિપોર્ટમાં રમેશ તડવીની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો. પોલીસ તપાસમાં ચોકવાનારા ખુલાસા થયાં. મૃતક શિક્ષક રમેશ તડવીનો સવિતા રાઠવા સાથે પ્રેમ સંબંધ હતો. ભૂતકાળમાં આ પ્રેમ સંબંધની જાણ રમેશ તડવીની પત્નીને થતાં જે તે સમયે સંબંધ નો અંત આવ્યો હતો, પરંતુ છેલ્લા બે મહિનાથી ફરી મૃતક રમેશ તડવી પ્રેમિકા સાથે સંપર્ક બનાવવાની કોશિશ કરતાં ખૂની ખેલનો કારશો ઘડાયો.
સવિતાએ તેના પતિ રૂપસિંગ રાઠવા સાથે મળી કાવતરું ઘડ્યું અને રમેશ તડવીને બાર ગામ નજીક જંગલમાં મળવા માટે બોલાવ્યો, જ્યાં પતિ પત્નીએ રમેશ તડવીને માથામાં પથ્થર મારી તેનું ઢીમ ઢાળી દીધું. હત્યાની સનસનીખેજ ઘટનામાં પોલીસે ફોન કોલ ના આધારે સવિતાની ધરપકડ કરી જેની પૂછપરછ ચાલી જ રહી હતી. દરમિયાન હત્યાના આરોપમાં પતિ રૂપસિંગનું પણ નામ ખુલ્યું તેવામાં આરોપી રૂપસિંગની આત્મહત્યાના સમાચાર આવ્યા.
રૂપસિંગે પોતાના ગામે ઝાડ ઉપર ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું. હાલ તો અવૈદ્ય પ્રેમ સંબંધના કારણે બે લોકોના જીવ ગયા તો એક મહિલા જેલ ના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. તેવામાં આરોપીઓના ચાર સંતાનો નિરાધાર બન્યા છે અને બીજી તરફ મૃતક શિક્ષક રમેશ તડવીના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)