શોધખોળ કરો

Nikki Yadav Murder Case: ગર્લફ્રેન્ડ નિક્કી યાદવની હત્યા બાદ સાહિલે ડિલીટ કરી તમામ ચેટ, ફરવા જવાના પ્લાન વચ્ચે થયો ઝઘડો

નોંધનીય છે કે પોલીસે ડેટા રિકવર કરવા માટે મોબાઈલને ફોરેન્સિક લેબમાં મોકલી દીધો છે

Nikki Yadav Murder Case: ગુરુવારે (16 ફેબ્રુઆરી) નિક્કી યાદવના મર્ડર કેસમાં નવો ખુલાસો થયો છે. નિક્કીની હત્યા કર્યા બાદ આરોપી સાહિલ ગેહલોતે તેના મોબાઈલમાંથી તમામ ચેટ ડિલીટ કરી દીધી હતી.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, "આરોપી સાહિલ ગેહલોતે અમને કહ્યું હતું કે તે 23 વર્ષની નિક્કી યાદવની હત્યાના 15 દિવસ પહેલા ઉત્તમ નગરનું ઘર છોડીને ગયો હતો પરંતુ 9 ફેબ્રુઆરીએ તેની સગાઈ થયા બાદ તે ફરીથી નિક્કીના ઘરે ગયો હતો અને ત્યાં રાત્રે રોકાયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નિક્કીએ ગોવા જવાનો પ્લાન બનાવ્યો અને ટિકિટ પણ બુક કરાવી હતી પરંતુ જ્યારે તેણે ટ્રાવેલિંગ એપ દ્વારા સાહિલની ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું તો બુક થઇ નહી. આ કારણોસર બંનેએ હિમાચલ પ્રદેશ જવાનું નક્કી કર્યું હતું.

હત્યાના દિવસે શું થયું હતું?

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસે જણાવ્યું હતુ કે નિક્કી અને આરોપી સાહિલ ગેહલોત હિમાચલ પ્રદેશ જવા માટે નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પહોંચ્યા પરંતુ અહીં જાણવા મળ્યું કે બસ આનંદ વિહાર ટર્મિનલથી મળશે. ત્યારબાદ જ્યારે બંને આનંદ વિહાર પહોંચ્યા તો તેમને કહેવામાં આવ્યું કે કાશ્મીરી ગેટથી હિમાચલ માટે બસ મળશે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે નિક્કી અને સાહિલે કાશ્મીરી ગેટ સુધી પહોંચવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને દિલશાદ ગાર્ડનનો રસ્તો લીધો હતો, પરંતુ નિગમબોધ ઘાટની બહાર બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણોસર સાહિલે તેની હત્યા કરી હતી. આ પછી એક બાજુ નિક્કીની ડેડ બોડી પડી હતી અને બીજી બાજુ સાહિલ તેની ચેટ્સ ડિલીટ કરી રહ્યો હતો. આ પછી તે જનકપુરી, પશ્ચિમ વિહાર થઈને પોતાના મિત્રાંવ ગામ પહોંચ્યો હતો.

સાહિલ ગેહલોત શું ઇચ્છતો હતો ?

આરોપી સાહિલ પણ નિક્કી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેનો પરિવાર તેના માટે તૈયાર નહોતો. તેના પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે તે તેમની પસંદની છોકરી સાથે લગ્ન કરે. જ્યારે નિક્કીની હત્યા બાદ નિક્કીના પિતાનો સંપર્ક થઈ શક્યો ન હતો. પરંતુ બાદમાં નિક્કીના પિતાએ આરોપીને બે વાર ફોન કર્યો હતો અને દીકરી વિશે પૂછ્યું હતું. આ અંગે સાહિલે કહ્યું હતું કે તેમની દીકરી ટ્રીપ પર ગઈ છે અને તેને આ અંગે કંઈ ખબર નથી.

નોંધનીય છે કે પોલીસે ડેટા રિકવર કરવા માટે મોબાઈલને ફોરેન્સિક લેબમાં મોકલી દીધો છે. પોલીસે જણાવ્યું કે આ ઘટનાનો ખુલાસો હત્યાના ચાર દિવસ પછી 14 ફેબ્રુઆરીએ થયો હતો જ્યારે પોલીસને ગેહલોતના કહેવા પર રેફ્રિજરેટરમાંથી પીડિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget