શોધખોળ કરો

રાજા રઘુવંશી હત્યાકાંડના ચારેય આરોપીઓએ કબૂલ્યો ગુનો, સોનમની સામે થઇ હતી પતિની હત્યા

Raja Raghuvanshi Murder Case: પૂછપરછ દરમિયાન આરોપીઓએ કહ્યું કે તેઓએ રાજા રઘુવંશીની હત્યા કરી હતી અને હત્યા પછી તેઓએ તેનો મૃતદેહ ઊંડી ખીણમાં ફેંકી દીધો હતો

Raja Raghuvanshi Murder Case:  રાજા રઘુવંશીની હત્યાના ચારેય આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કહ્યું કે તેઓએ રાજા રઘુવંશીની હત્યા કરી હતી અને હત્યા પછી તેઓએ તેનો મૃતદેહ ઊંડી ખીણમાં ફેંકી દીધો હતો. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની આ કબૂલાતની પુષ્ટી કરી છે, જેમાં રાજાની પત્ની સોનમ રઘુવંશીને મુખ્ય આરોપી અને કાવતરાખોર તરીકે ગણવામાં આવી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, રાજા પર પહેલો હુમલો વિશાલ ઉર્ફે વિકી ઠાકુરે કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ પહેલા ઇન્દોરથી ટ્રેન દ્વારા ગુવાહાટી ગયા હતા અને ત્યાંથી શિલોંગ પહોંચ્યા હતા. ઇન્દોરથી સીધી ટ્રેન ન હોવાથી તેમને મેઘાલય પહોંચવા માટે ઘણી ટ્રેનો બદલવી પડી હતી.

રાજ કુશવાહા ઇન્દોરથી માર્ગદર્શન આપી રહ્યો હતો

રાજ કુશવાહા આટલા સમય દરમિયાન ઇન્દોરમાં હતા પરંતુ તેણે વિશાલ, આકાશ અને આનંદ નામના ત્રણ આરોપીઓને મેઘાલયમાં ખર્ચ માટે લગભગ 40-50 હજાર રૂપિયા આપ્યા હતા. હત્યા સમયે સોનમ રઘુવંશી પણ ત્યાં હાજર હતી. આરોપીએ કહ્યું હતું કે સોનમ તેના પતિ રાજાને મરતા જોઈ રહી હતી. આ પછી આરોપીઓએ રાજાના મૃતદેહને ઊંડી ખીણમાં ફેંકી દીધો હતો.

ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના એસીપી પૂનમ ચંદ યાદવે જણાવ્યું હતું કે સોનમ ઇન્દોર પરત ફરી છે કે નહીં તે ફક્ત મેઘાલય પોલીસ જ પુષ્ટી કરી શકશે. તેમણે કહ્યું કે ઇન્દોર પોલીસને હજુ સુધી આ સંદર્ભમાં કોઈ તથ્ય મળ્યું નથી. હત્યા કરતી વખતે આરોપી વિશાલે જે કપડાં પહેર્યા હતા તે વિશાલના ઘરેથી મળી આવ્યા છે. આ કપડાં ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. જેથી ખાતરી થઈ શકે કે લોહીના ડાઘ રાજાના છે કે નહીં.

સોનમને ગાઝીપુરથી કસ્ટડીમાં લેવામાં આવી હતી

સોમવારે સવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, તેણીએ જણાવ્યું હતું કે તેણીએ મદદ માટે એક ઢાબા માલિકનો સંપર્ક કર્યો હતો. તેણીએ દાવો કર્યો હતો કે તેણીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ હતી અને તેણીને યાદ નથી કે તે ગાઝીપુર કેવી રીતે પહોંચી.

રાજા હનિમૂન માટે મેઘાલય ગયો હતો

ઇન્દોરનો રહેવાસી રાજા રઘુવંશીએ હત્યાના 12 દિવસ પહેલા સોનમ રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા. તેઓ હનિમૂન માટે મેઘાલય ગયા હતા. આ પછી 23 મેના રોજ તેઓ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં હતા, જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ થયું હતું. 2 જૂનના રોજ રાજા રઘુવંશીનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત

વિડિઓઝ

Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget