શોધખોળ કરો

રાક્ષસ બન્યા સાસરિયાં: દહેજ માટે પરિણીતાને ભૂસાના ઢગલામાં જીવતી સળગાવી દીધી

Crime News: રાજસ્થાનના ધૌલપુરમાં હૃદયદ્રાવક ઘટના, ભૂસાના ઢગલામાં બાળીને હત્યા.

Rajasthan Crime: રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના નુનેહરા ગામમાં દહેજની માંગણી પૂરી ન થતા સાસરિયાઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. તેમણે એક 23 વર્ષીય પરિણીતાને માર મારી મોતને ઘાટ ઉતારી, અને ત્યારબાદ લાશને ભૂસાના ઢગલામાં સળગાવી દીધી. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના ભાઈ મનોજ કુમારે સાઈપાઉ પોલીસ સ્ટેશનમાં દહેજ મૃત્યુનો કેસ નોંધાવ્યો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક નીરજના લગ્ન પાંચ વર્ષ પહેલા કમલ કિશોર સાથે થયા હતા. લગ્ન સમયે પરિવારે પોતાની ક્ષમતા મુજબ દહેજ પણ આપ્યું હતું, પરંતુ નીરજના સાસરિયાં લગ્ન બાદથી જ વધુ દહેજની માંગણી કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. મનોજ કુમારના જણાવ્યા મુજબ, ઘણી વખત સમાજના વડીલોને બોલાવીને સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સાસરિયાંની દહેજ ભૂખ ઓછી થઈ નહીં.

ગુરુવારે નીરજે તેના પિતા ભગવાનસિંહને ફોન કરીને જણાવ્યું હતું કે સાસરિયાં આજે તેને મારી નાખશે. જ્યારે નીરજનો ભાઈ અને પિતા તાત્કાલિક તેના સાસરે પહોંચ્યા, ત્યારે તેમને નીરજની સળગેલી લાશ ભૂસાના ઢગલામાં જોવા મળી હતી. પુત્રીની આવી હાલત જોઈને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાઇપાઉ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભરતપુરથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમને બોલાવવામાં આવી હતી. FSL ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા અને પોલીસે મૃતકના અવશેષોને કબજે લઈને તપાસ શરૂ કરી છે. મૃતકના ભાઈ મનોજ કુમારની ફરિયાદના આધારે પોલીસે દહેજ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકની મોટી બહેન પ્રીતિએ પણ સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રીતિના કહેવા મુજબ, દહેજ માટે ઝઘડો કરનારા સાસરિયાઓએ નીરજને મારી નાખ્યા બાદ તેને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં રૂમને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસ ફરાર સાસરિયાઓની શોધખોળ કરી રહી છે.

પોલીસ અધિકારી અજય સિંહે જણાવ્યું કે, પોલીસને નુનેહરા ગામમાં પરિણીતા નીરજની હત્યા કરીને લાશને સળગાવી દેવામાં આવી હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટનાસ્થળે પહોંચી FSL ટીમની મદદથી પુરાવા એકત્ર કર્યા છે. સાસરિયાઓ ફરાર છે, અને તેઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો....

બિહારમાં ભાજ સાથે મોટો દાવ થઈ જશે! સહયોગી પક્ષે RJD સાથે જવાની ધમકી આપી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget