શોધખોળ કરો

Junagadh: યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના મેનેજરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર 

જૂનાગઢ શહેરમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા ઓફિસરે બેંકની સામે જ આવેલી રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે.

જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા ઓફિસરે બેંકની સામે જ આવેલી રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે.  મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની રિજનલ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઓફિસર સિયારામ પ્રસાદે આજે સાડાચાર વાગ્યે બેંકની સામે જ આવેલી રેલિંગમાં દુપટ્ટો બાંધી લટકી જઈ જિંદગી ટૂંકાવી હતી.

રાત્રિના સમયે જ ઘરેથી નીકળી ગયેલા સિયારામ પ્રસાદ તેમના ઘરે હાજર ન મળતાં તેમનાં પત્નીએ તેમની વાત તેમના સહકર્મચારીઓને કરી હતી. ત્યાર બાદ તેમનો પરિવાર અને અન્ય કર્મચારીઓ સિયારામ પ્રસાદને શોધવા માટે નીકળ્યા હતા. ત્યારે સિયારામ પ્રસાદે તેઓ જ્યાં નોકરી કરતા હતા એ બેંકની સામે જ રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પરિવારો પર આભ ફાટ્યું હતું. પોલીસે એક સુસાઈડ નોટ પણ કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાહેર થયું નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

નાણાકીય વ્યવસ્થા સાથે સંકળાયેલા બેંક મેનેજરે કયા કારણોસર આપઘાત કર્યો છે તેને લઈને સી ડિવિઝન પોલીસ દ્વારા વિધિવત તપાસ શરૂ કરાઈ છે. હાલ મૃતદેહનો કબજો લઈને સી ડિવિઝન પોલીસે પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.  

જૂનાગઢના ચર્ચીત તોડકાંડમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની ATS દ્વારા કરવામાં આવી ધરપકડ 

જૂનાગઢના ચર્ચીત તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. પીઆઈ તરલ ભટ્ટ આ કેસ સામે આવ્યો ત્યારથી ફરાર હતો.  અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ગઈકાલે ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજ દોઢ કલાકની પૂછપરછ કરવામાં આવી હતી.  આજે અમદાવાદના રિંગરોડ પાસેથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી લેવાઈ છે. અન્ય બે આરોપીઓની પણ ધરપકડ માટે ATS સક્રિય છે. તરલ ભટ્ટની એટીએસ દ્વારા હાલ તો પૂછપરછ ચાલી રહી છે.

ક્રિકેટ સટ્ટાના નામે બેંક ખાતા ફ્રિઝ કરી તેને અનફ્રિઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવા મામલે જૂનાગઢ એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, એએસઆઈ દિપક જાની અને માણાવદરના સીપીઆઈ સામે ગુનો દાખલ થયો હતો. આ ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા. હાલ આ મામલે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો આપી હતી. આથી તોડકાંડનો મુખ્ય સુત્રધાર તરલ ભટ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તરલ ભટ્ટ ફરાર થઈ ગયો હતો અને તે વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આજે તરલ ભટ્ટની અમદાવાદથી ધરપકડ કરી લેવાઈ છે. હવે પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.

જૂનાગઢના માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ એમ ગોહિલ તેમજ એસએસઆઈ દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ જૂનાગઢમાં એસઓજીની ઓફિસ, માણાવદરમાં આવેલી તરલ ભટ્ટની ઓફિસ અને જુનાગઢમાં આવેલા નિવાસ સ્થાન તેમજ અમદાવાદના સોલા સ્થિત મકાન પર તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Embed widget