શોધખોળ કરો

Teachers Day 2023: શિક્ષક દિવસ ભારતમાં ક્યારે ઉજવવામાં આવશે? જાણો કેમ અને ક્યારથી થઇ શરૂઆત?

Teachers' Day 2023: દર વર્ષે આ દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે

Teachers Day 2023:  5 સપ્ટેમ્બરનો દિવસ કોઈપણ પરિચય પર નિર્ભર નથી. દર વર્ષે આ દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક જ વ્યક્તિને જીવનમાં સફળતાના શિખરે લઈ જાય છે. શિક્ષકના આશીર્વાદથી જ આપણે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધીએ છીએ.

શિક્ષક દિવસ પર વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને આદર આપીને તેમનો આભાર વ્યક્ત કરે છે. આ દિવસને ભારતમાં ભારતના રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ શિક્ષક દિવસનો ઈતિહાસ અને મહત્વ.

શા માટે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે?

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો. ભારત રત્ન ડૉ.રાધાકૃષ્ણન પોતે એક મહાન શિક્ષક હતા. એકવાર જ્યારે શિષ્યોએ તેમનો જન્મદિવસ એકસાથે ઉજવવાનું વિચાર્યું, ત્યારે રાધાકૃષ્ણને કહ્યું હતું 'મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો મને ગર્વ થશે. 1962માં પ્રથમ વખત શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડૉ.રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ થયો હતો. તેમનો જન્મ તમિલનાડુના તિરુત્તાની શહેરમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો. ડો. રાધાકૃષ્ણન બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતા અને તેમને ઘણી શિષ્યવૃત્તિ મળી હતી. તેણે તિરુપતિની શાળામાં અભ્યાસ કર્યો અને પછી વેલ્લોર જતા રહ્યા. ડૉ. રાધાકૃષ્ણને 1952થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે અને 1962 થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. 

શિક્ષક દિવસનું મહત્વ

ડો. રાધાકૃષ્ણને તેમના જીવનના 40 વર્ષ એક શિક્ષક તરીકે દેશને આપ્યા હતા. તેમણે હંમેશા શિક્ષકોના સન્માન પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે સાચો શિક્ષક સમાજને સાચી દિશા આપવાનું કામ કરે છે. વ્યક્તિને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાનું શીખવે છે. શિક્ષકો વ્યક્તિના જીવનને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી શિક્ષકોની અવગણના કરવી યોગ્ય નથી.

આ દેશોમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવતો નથી

જો કે ભારતમાં 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે પરંતુ વર્ષ 1994માં યુનેસ્કોએ શિક્ષકોના સન્માનમાં 5મી ઓક્ટોબરે શિક્ષક દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. રશિયા જેવા ઘણા દેશોમાં શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે જ ઉજવાય છે. ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુકે, પાકિસ્તાન અને ઈરાનમાં પણ શિક્ષક દિવસની ઉજવણી અલગ-અલગ દિવસે કરવામાં આવે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget