શોધખોળ કરો

Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?

Junagadh: ગુજરાત ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

Junagadh:  ગુજરાત ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.  વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી ચૂંટણી સભાને સંબોધતા ભાન ભૂલ્યા હતા. જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધતિ વખતે ભૂપત ભાયાણીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના ભાષણ દરમિયાન કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા. ભૂપત ભાયાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભૂપત ભાયાણીએ કહ્યું રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં.

ભાયાણીના નિવેદનથી રાજ્યમાં નવો વિવાદ પેદા થયો હતો. ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસ કાર્યકરોમાં આક્રોશ છે. કોંગ્રેસ કાર્યકરોએ કહ્યુ હતું કે ભાજપના નેતાઓએ હદ વટાવી છે. કોગ્રેસે કહ્યું હતું કે ભાયાણી બોલવામાં લગામ રાખે છે.  નૈષધ દેસાઇએ કહ્યું હતુ કે ભાયાણી પાસે બિભત્સ શબ્દોની અપેક્ષા છે. આ ભાજપના નેતાઓના સંસ્કાર છે.

કોગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું કે પ્રમોશન માટે ભાયાણી બફાટ કરે છે. હાઈકમાંડની નજરે પડવા આવા નિવેદનો કરે છે. ભાજપમાં જતા માનસિક સ્થિતિ ખરાબ થાય છે. ભાયાણીએ તેમના સંસ્કારનું સુંદર પ્રદર્શન કર્યુ છે. ભાયાણીને જનતા જવાબ આપશે. ભાયાણી નોકરી ટકાવવા બેફામ બોલે છે. ભાયાણીએ વિસાવદરની જનતા સાથે અન્યાય કર્યો છે.

વિવાદીત નિવેદન બાદ કિરીટ પટેલે માંગી માફી

રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી બાદ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી લીધી છે. સોમવારે વિસાવદરમાં ભાજપ ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કિરીટ પટેલે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જો કે બાદમા જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી છે.

જૂનાગઢના વિસાવદરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જૂનાગઢ ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે રાજા-મહારાજો, તેમની પટરાણી અને સંતાનો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ વિવાદ વકરતા કિરીટ પટેલને પોતાની ભૂલ સમજાઈ હતી અને પોતાનાથી ભૂલ થઈ ગઈ છે તેવો માફી માંગતો વીડિયો પણ શેર કર્યો હતો.

કિરીટ પટેલે વિસાવદરની સભામાં કહ્યું હતું કે  'એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય લંગડી હોય પણ એની કૂખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો, પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે.' કિરીટ પટેલનો આ નિવેદન વાળો વીડિયો વાયરલ થતાં જ હવે તેમનો માફી માંગતો વીડિયો પણ સામે આવ્યો છે.

કિરીટ પટેલે જૂનાગઢ લોકસભા બેઠકને લઈને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દાટન  કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયો હતો. ત્યારે આજે સવારે તેમનો માફી માંગતો વીડિયો સામે આવ્યો છે.

જાણો પરસોત્તમ રૂપાલાએ શું આપ્યું નિવેદન

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.   

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget