શોધખોળ કરો

NDA Government: મોદી 3.0 ના એજન્ડામાં હશે આ 4 મોટા મુદ્દાઓ, પાંચ વર્ષમાં લઇ શકે છે આકરા નિર્ણયો, જાણો

NDA Government: આજે રવિવારે દેશમાં નવી સરકારની રચના થશે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે

NDA Government: આજે રવિવારે દેશમાં નવી સરકારની રચના થશે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. લગભગ 6 દાયકા પછી આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેક સાથે જ તેમના નેતૃત્વમાં ત્રીજી સરકાર કામ કરવાનું શરૂ કરશે.

મોદી સતત કહેતા રહ્યા છે કે તેમનો ત્રીજો કાર્યકાળ મોટા નિર્ણયોથી ભરેલો હશે. છેલ્લા 10 વર્ષનું કામ માત્ર ટ્રેલર છે. જ્યારે તેઓ NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા ત્યારે પણ તેમણે આ વાતોનું પુનરાવર્તન કર્યું હતું. મોદીના બીજા કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, રામ મંદિરનું નિર્માણ, નાગરિકતા કાયદાનો અમલ જેવા મોટા નિર્ણયો ગણાય છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક પ્રશ્ન પણ છે કે એનડીએ સરકાર આ વખતે કયા મોટા અને કઠીન નિર્ણયો લઈ શકે છે? છેવટે, કયા ક્ષેત્રોમાં મોટા નિર્ણયો લઈ શકાય?

વન નેશન વન ઇલેક્શન-  એક રાષ્ટ્ર એક ચૂંટણી 
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના મેનિફેસ્ટોમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીનું વચન આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓ તેના અમલીકરણની હિમાયત કરી રહ્યા છે. હકીકતમાં, નરેન્દ્ર મોદીએ 2019ના સ્વતંત્રતા દિવસે એક દેશ એક ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી, ભાજપ ઘણા પ્રસંગોએ 'એક દેશ, એક ચૂંટણી'ની વાત કરે છે. હકીકતમાં, વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા 2018માં કાયદા પંચના ડ્રાફ્ટ રિપોર્ટ બાદ શરૂ થઈ હતી. તે અહેવાલમાં આર્થિક કારણોની ગણતરી કરવામાં આવી હતી. પંચે કહ્યું કે 2014માં લોકસભા ચૂંટણીનો ખર્ચ અને ત્યારપછીની વિધાનસભા ચૂંટણીનો ખર્ચ લગભગ સરખો હતો. વળી, જો ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે છે, તો આ ખર્ચને 50:50 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે.

હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિએ પોતાનો રિપોર્ટ પણ રાષ્ટ્રપતિને સોંપ્યો છે. હવે ત્રીજી ટર્મમાં એનડીએ સરકાર તેને લાગુ કરવાનો આગ્રહ રાખી શકે છે. એનડીએ સરકારમાં મુખ્ય પક્ષ બનેલી જેડીયુએ પણ આ અંગે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

સમાન નાગરિક સંહિતા 
સમગ્ર દેશમાં દરેક માટે સમાન કાયદો બનાવવો એ ભાજપના એજન્ડામાં છે. પાર્ટીએ પોતાના 2024ના મેનિફેસ્ટોમાં આ વિષય રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ 2022માં યોજાયેલી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં તેને મુદ્દો બનાવ્યો હતો અને ચૂંટણી જીત્યા બાદ તેનો અમલ પણ કર્યો હતો. હવે ભાજપની આગેવાની હેઠળના NDAના ત્રીજા કાર્યકાળમાં કૉમન સિવિલ કૉડને આગળ વધારવા પર ભાર મુકવામાં આવી શકે છે. જોકે, આ માટે સાથી પક્ષો પાસેથી સમર્થન મેળવવું એક મોટો પડકાર હશે. UCCના મામલે JDUએ પણ કહ્યું છે કે આમાં દરેકનો અભિપ્રાય જરૂરી છે.

વિદેશ નીતિમાં યૂએનએસસીની સ્થાયી સદસ્યતા પર ભાર 
નરેન્દ્ર મોદીએ ઘણીવાર તેમના ભાષણોમાં વૈશ્વિક નેતા તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. તેમના ત્રીજા કાર્યકાળમાં મોદીના વિદેશ નીતિના ધ્યેયો ભારતની લાંબા સમયથી રાહ જોવાતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્યપદને સાકાર કરવાનો રહેશે. વિદેશ નીતિના મોરચે, સરકાર UNSC સભ્યપદ પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ આ પ્રયાસમાં UN સુધારણા પણ સામેલ હશે. UNSCમાં સુધારો કરવો એ એક મોટો પડકાર હશે કારણ કે કાયમી સભ્ય ચીને તેમાં ભારતના સમાવેશનો વારંવાર વિરોધ કર્યો છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આયુષ્યમાન ભારતનો વિસ્તાર 
ત્રીજી ટર્મમાં કેન્દ્ર સરકારની મોટી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારત મોટા કદમાં જોવા મળી શકે છે. નરેન્દ્ર મોદી ચૂંટણી કાર્યક્રમોમાં કહેતા આવ્યા છે કે ત્રીજી ટર્મમાં મોટા નિર્ણયોની 'મોદીની ગેરંટી' પૂરી થશે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા મોદીએ ભવિષ્ય માટે તેમના વિઝનની રૂપરેખા આપી હતી. મોદીએ આયુષ્માન ભારત હેઠળ મફત આરોગ્ય સંભાળની અભૂતપૂર્વ પહોંચ પર ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત, બીજેપીના 2024ના મેનિફેસ્ટોમાં 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડર સમુદાયનો સમાવેશ કરવા માટે આયુષ્માન ભારતનું કવરેજ વિસ્તારવાનું વચન પણ આપવામાં આવ્યું છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
Advertisement

વિડિઓઝ

Mumbai Rain: મુંબઈમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રેલવે સેવા થઈ પ્રભાવિત, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : જમીનનું વળતર સારું મળવાના સંકેત
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ જંતુ
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓએ કેટલા લૂંટ્યા?
Anand Murder : આણંદમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાથી ખળભળાટ, પોલીસે હાથ ધરી તપાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget