શોધખોળ કરો

NDA Government: મોદી 3.0 ના એજન્ડામાં હશે આ 4 મોટા મુદ્દાઓ, પાંચ વર્ષમાં લઇ શકે છે આકરા નિર્ણયો, જાણો

NDA Government: આજે રવિવારે દેશમાં નવી સરકારની રચના થશે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે

NDA Government: આજે રવિવારે દેશમાં નવી સરકારની રચના થશે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. લગભગ 6 દાયકા પછી આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેક સાથે જ તેમના નેતૃત્વમાં ત્રીજી સરકાર કામ કરવાનું શરૂ કરશે.

મોદી સતત કહેતા રહ્યા છે કે તેમનો ત્રીજો કાર્યકાળ મોટા નિર્ણયોથી ભરેલો હશે. છેલ્લા 10 વર્ષનું કામ માત્ર ટ્રેલર છે. જ્યારે તેઓ NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા ત્યારે પણ તેમણે આ વાતોનું પુનરાવર્તન કર્યું હતું. મોદીના બીજા કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, રામ મંદિરનું નિર્માણ, નાગરિકતા કાયદાનો અમલ જેવા મોટા નિર્ણયો ગણાય છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક પ્રશ્ન પણ છે કે એનડીએ સરકાર આ વખતે કયા મોટા અને કઠીન નિર્ણયો લઈ શકે છે? છેવટે, કયા ક્ષેત્રોમાં મોટા નિર્ણયો લઈ શકાય?

વન નેશન વન ઇલેક્શન-  એક રાષ્ટ્ર એક ચૂંટણી 
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના મેનિફેસ્ટોમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીનું વચન આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓ તેના અમલીકરણની હિમાયત કરી રહ્યા છે. હકીકતમાં, નરેન્દ્ર મોદીએ 2019ના સ્વતંત્રતા દિવસે એક દેશ એક ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી, ભાજપ ઘણા પ્રસંગોએ 'એક દેશ, એક ચૂંટણી'ની વાત કરે છે. હકીકતમાં, વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા 2018માં કાયદા પંચના ડ્રાફ્ટ રિપોર્ટ બાદ શરૂ થઈ હતી. તે અહેવાલમાં આર્થિક કારણોની ગણતરી કરવામાં આવી હતી. પંચે કહ્યું કે 2014માં લોકસભા ચૂંટણીનો ખર્ચ અને ત્યારપછીની વિધાનસભા ચૂંટણીનો ખર્ચ લગભગ સરખો હતો. વળી, જો ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે છે, તો આ ખર્ચને 50:50 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે.

હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિએ પોતાનો રિપોર્ટ પણ રાષ્ટ્રપતિને સોંપ્યો છે. હવે ત્રીજી ટર્મમાં એનડીએ સરકાર તેને લાગુ કરવાનો આગ્રહ રાખી શકે છે. એનડીએ સરકારમાં મુખ્ય પક્ષ બનેલી જેડીયુએ પણ આ અંગે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

સમાન નાગરિક સંહિતા 
સમગ્ર દેશમાં દરેક માટે સમાન કાયદો બનાવવો એ ભાજપના એજન્ડામાં છે. પાર્ટીએ પોતાના 2024ના મેનિફેસ્ટોમાં આ વિષય રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ 2022માં યોજાયેલી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં તેને મુદ્દો બનાવ્યો હતો અને ચૂંટણી જીત્યા બાદ તેનો અમલ પણ કર્યો હતો. હવે ભાજપની આગેવાની હેઠળના NDAના ત્રીજા કાર્યકાળમાં કૉમન સિવિલ કૉડને આગળ વધારવા પર ભાર મુકવામાં આવી શકે છે. જોકે, આ માટે સાથી પક્ષો પાસેથી સમર્થન મેળવવું એક મોટો પડકાર હશે. UCCના મામલે JDUએ પણ કહ્યું છે કે આમાં દરેકનો અભિપ્રાય જરૂરી છે.

વિદેશ નીતિમાં યૂએનએસસીની સ્થાયી સદસ્યતા પર ભાર 
નરેન્દ્ર મોદીએ ઘણીવાર તેમના ભાષણોમાં વૈશ્વિક નેતા તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. તેમના ત્રીજા કાર્યકાળમાં મોદીના વિદેશ નીતિના ધ્યેયો ભારતની લાંબા સમયથી રાહ જોવાતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્યપદને સાકાર કરવાનો રહેશે. વિદેશ નીતિના મોરચે, સરકાર UNSC સભ્યપદ પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ આ પ્રયાસમાં UN સુધારણા પણ સામેલ હશે. UNSCમાં સુધારો કરવો એ એક મોટો પડકાર હશે કારણ કે કાયમી સભ્ય ચીને તેમાં ભારતના સમાવેશનો વારંવાર વિરોધ કર્યો છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આયુષ્યમાન ભારતનો વિસ્તાર 
ત્રીજી ટર્મમાં કેન્દ્ર સરકારની મોટી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારત મોટા કદમાં જોવા મળી શકે છે. નરેન્દ્ર મોદી ચૂંટણી કાર્યક્રમોમાં કહેતા આવ્યા છે કે ત્રીજી ટર્મમાં મોટા નિર્ણયોની 'મોદીની ગેરંટી' પૂરી થશે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા મોદીએ ભવિષ્ય માટે તેમના વિઝનની રૂપરેખા આપી હતી. મોદીએ આયુષ્માન ભારત હેઠળ મફત આરોગ્ય સંભાળની અભૂતપૂર્વ પહોંચ પર ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત, બીજેપીના 2024ના મેનિફેસ્ટોમાં 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડર સમુદાયનો સમાવેશ કરવા માટે આયુષ્માન ભારતનું કવરેજ વિસ્તારવાનું વચન પણ આપવામાં આવ્યું છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget