શોધખોળ કરો

પાયલ રોહતગીને મળ્યા જામીન, નેહરુ પર કરી હતી વિવાદિત ટિપ્પણી

નેહરુ પર ટિપ્પણી કર્યા રવિવારે બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સોમવારે તેને 8 દિવસ (24 ડિસેમ્બર સુધી)ની કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

નવી દિલ્હીઃ રાજસ્થાનની બૂંદી કોર્ટે 8 દિવસ માટે કસ્ટડીમાં મોકલવામાં આવેલી બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પાયલ રોહતગીને મોટી રાહત આપી છે. કોર્ટે અરજી પર બંને પક્ષોના વકીલોની ચર્ચા પછી પાયલ રોહતગી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલો વીડિયો જોયો હતો અને તે બાદ ફેંસલો સંભળાવતા જામીન મંજૂર કર્યા હતા.  આ પહેલા પાયલને કોર્ટે 24 ડિસેમ્બર સુધી જેલમાં મોકલી હતી. બૂંદી જેલમાં કેદી નંબર 2616 તરીકે   તેને લૂંટ અને હત્યા સહિત અન્ય અપરાધિક મામલાની આરોપી મહિલાઓ સાથે રાખવામાં આવી હતી. નેહરુ પર ટિપ્પણી કર્યા રવિવારે બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સોમવારે તેને 8 દિવસ (24 ડિસેમ્બર સુધી)ની કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.  સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરવા બદલ રાજસ્થાન પોલીસે પાયલની ધરપકડ કરી હતી. પાયલ રોહતગીએ પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ પર વિવાદીત પોસ્ટ કરી હતી.જેને લઇને રાજસ્થાનના બુંદી જિલ્લામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પતિએ PM મોદીની માંગી મદદ પોલીસની આ કાર્યવાહી બાદ હવે પાયલના પતિ પહેલવાન સંગ્રામ સિંહે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલે મદદ કરવાની અપીલ કરી છે. સંગ્રામ સિંહે ટ્વિટ કરીને લખ્યું, આ કોંગ્રેસ શાસિત રાજ્યમાં અભિવ્યક્તિની આઝાદી છે. તેમણે ગૃહમંત્રી કાર્યાલય, પીએમઓ ઈન્ડિયા અને નરેન્દ્ર મોદીને ટેગ કરીને આ મામલે હસ્તાક્ષેપ કરવા જણાવ્યું છે. પાયલની ધરપકડનો હવે ભાજપ પણ વિરોધ કરી રહી છે. રાજસ્થાન ભાજપ પ્રદેશ પ્રવકતા લક્ષ્મીકાંત ભારદ્વાજે કહ્યું કે, કોંગ્રેસ બીજા રાજ્યોમાં આઝાદીનો રાગ આલાપે છે પરંતુ તેમણે પોલીસની ટીમ અમદાવાદ મોકલીને એક કલાકારની ધરપકડ કરાવી છે. આ શરમજનક છે અને તેની નિંદા કરવી જોઈએ. ગૂગલ પરથી માહિતી લઈ મોતીલાલ નેહરુ પર બનાવ્યો હતો વીડિયો પાયલ રોહતગીએ એક ટ્વિટમાં જણાવ્યું કે, મોતીલાલ નેહરુ પર એક વીડિયો શેર કરવા બદલ રાજસ્થાન પોલીસે મારી ધરપકડ કરી છે. આ વીડિયોમાં મેં ગુગલથી જાણકારી લઈને બનાવ્યો હતો. બોલવાની આઝાદી એક મજાક છે. આ ટ્વિટમાં તેણે રાજસ્થાન પોલીસ, પીએમઓ, ગૃહ મંત્રાલયના સતાવાર ટ્વિટર એકાઉન્ટને ટેગ કર્યા હતા. આ અંગે એસપી મમતા ગુપ્તાએ કહ્યું કે, પાયલ રોહતગી પર કેસ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પાયલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં આપતિજનક ટિપ્પણી કરવાના આરોપ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પાયલ રોહતગી પર સ્વતંત્રતા સેનાની મોતીલાલ નેહરૂના પરિવાર વિરુદ્ધ વીડિયોમાં આપતિજનક ટિપ્પણીની સાથે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પત્નીને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બિગ બોસની આઠમી સીઝનમાં સ્પર્ધક રહી ચૂકી છે પાયલ રોહતગી યુવા કોગ્રેસ નેતા ચર્મેશ શર્મા દ્ધારા કરવામાં આવેલી ફરિયાદના આધાર પર પાયલ રોહતગી વિરુદ્ધ આઇટીની કલમ 66 અને 67 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શર્માએ આરોપ લગાવ્યો હતો કે રોહતગીએ મોતીલાલ નેહરુની પત્નીને બદમાન કરવા માટે ખોટા આરોપ લગાવીને તેમનું અપમાન કર્યું છે. આ ભારતના અન્ય દેશો સાથે સંબંધોમાં વિક્ષેપ નાખી શકે છે કારણ કે તેમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુના સંદર્ભમાં ચિત્રો સાથે આપતિજનક ટિપ્પણી કરવામાં આવી છે. પાયલ રોહતગી બિગ બોસની આઠમી સીઝનમાં સ્પર્ધક રહી ચૂકી છે. તે સિવાય તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પાયલે 2002માં ફિલ્મ ‘યે ક્યા હો રહા હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. બ્રિટન HCથી અનિલ અંબાણીને મળી મોટી રાહત, ચીનની બેંકોનો દાવો ફગાવ્યો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
Embed widget