શોધખોળ કરો

કન્નડ અભિનેતા Chetan Kumarને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો, હિન્દુત્વને લઈને કરી હતી વિવાદાસ્પદ ટ્વિટ

Chetan Kumar: કન્નડ અભિનેતા ચેતન કુમારને બેંગ્લોરની કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. તેના પર વિવાદાસ્પદ ટ્વીટ દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

Chetan Kumar Judicial Custody: કન્નડ અભિનેતા અને સામાજિક કાર્યકર ચેતન કુમારને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં મંગળવારે બેંગલુરુની અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વીટ કર્યા બાદ બેંગલુરુ પોલીસે ચેતનની ધરપકડ કરી હતી. અભિનેતાએ પોતાના ટ્વીટમાં હિન્દુત્વની ટીકા કરી હતી. ચેતનની બેંગલુરુ પોલીસે 21 માર્ચે ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

ચેતનના આ ટ્વિટ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

બેંગ્લોરના શિવકુમાર દ્વારા ચેતન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા) હેઠળ બેંગલુરુના શેષાદ્રિપુર પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં ચેતનના ટ્વીટને ટાંકવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે "હિંદુત્વ જુઠ પર બન્યું છે સાવરકર - ભારતીય રાષ્ટ્રની શરૂઆત ત્યારે થઈ જ્યારે રામ રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા - જૂઠ1992માં બાબરી મસ્જિદ રામ જન્મભૂમિ છે - એક જૂઠ2023 ઉરીગૌડા-નાંજેગૌડા ટીપુના હત્યારા છે- એક જુઠ, હિન્દુત્વને સત્યથી હરાવી શકાય છે - સત્ય સમાનતા છે.

ચેતન પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ફરિયાદીએ દાવો કર્યો હતો કે આ ટ્વિટ્સ દ્વારા ચેતને બહુમતી હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. જાતિઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી અને કોમી રમખાણો ભડકાવ્યા.

ચેતન સામે અગાઉ પણ કેસ નોંધાયેલો છે

કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત વિશે ટ્વિટ કરવા બદલ કન્નડ અભિનેતા પર ગયા વર્ષે ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તે સમયે દીક્ષિત હિજાબ પ્રતિબંધ કેસની સુનાવણી કરતી બેન્ચનો ભાગ હતા. પોતાના ટ્વિટમાં ચેતને કહ્યું કે જસ્ટિસ દીક્ષિત જેઓએ એક રેપ મામલે પરેશાન કરનાર ટિપ્પણી કરી હતી. હવે તેઓ નક્કી કરી રહ્યા છે સરકારી શાળામાં હિજાબ મંજૂર છે કે નહી. અને સવાલ કર્યો કે તેમની પાસે આવી કરવાની સ્પષ્ટતા છે

આ પણ વાંચો: Kangana Ranautની ચેતવણી બાદ Diljit Dosanjhએ તોડ્યું મૌન, બોલ્યો- ‘મેરા પંજાબ ફલતા ફૂલતા રહે’

Diljit Dosanjh On Kangana Ranaut: તાજેતરમાં પંજાબ પોલીસે કટ્ટરપંથી શીખ ઉપદેશક અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતીજે બાદ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ કંગનાના ટોણા બાદ દિલજીતે પણ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરીને પોતાનું મૌન તોડ્યું છે.

કંગનાની ચેતવણી બાદ દિલજીતે મૌન તોડ્યું

દિલજીતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પંજાબીમાં લખ્યું, ‘મેરા પંજાબ ફલતા ફૂલતા રહે’ ગાયક-અભિનેતાએ તેની પોસ્ટમાં ફોલ્ડ હેન્ડ ઇમોજી પણ ઉમેર્યું છે. જો કે કંગનાની આ પોસ્ટ પર કોઈ સીધી પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

કંગનાએ દિલજીતને આ ચેતવણી આપી હતી

અગાઉ કંગનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિલજીતને પોલીસ દ્વારા ધરપકડ સામે ચેતવણી આપી હતી. તેણે 'પોલ્સ આ ગઇ પોલ્સ'નો ઉપયોગ કર્યો હતો જે પંજાબ પોલીસની કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર લોકપ્રિય બન્યું છે. કંગનાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટમાં દિલજીત દોસાંઝને ચેતવણી આપી હતી કે, “ખાલિસ્તાનીઓને સમર્થન આપનારા બધા યાદ રાખો કે આગળનો નંબર તમારો છેપોલ્સ આવી ગઇ છે. આ એ સમય નથી જ્યારે કોઈ કંઈ પણ કરતું હતું. દેશ સાથે દગો કરવાનો કે તોડવાનો પ્રયાસ કરવો હવે મોંઘો પડશેપોલીસ અહીં છે. હવે તેઓ જે ઈચ્છે તે નહી કરી શકે. દેશ સાથે ગદ્દારી કરવી છે તમને મોંઘી પડશે.

કંગનાએ બીજી પોસ્ટ કરીને દિલજીત પર નિશાન સાધ્યું

કંગનાએ અન્ય એક પોસ્ટમાં લખ્યું, “પહેલાં તો આ દિલજીત ખૂબ ધમકીઓ આપતો હતો. હવે તેઓ ક્યાં છુપાઈને બેઠા છે બધા. કોના દમ પર ઊછળી રહ્યા હતા અને હવે કોના ડરથી ડરી ગયા?? મહેરબાની કરીને સમજાવો

વર્ષ 2020માં કંગના અને દિલજીત વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું

તમને જણાવી દઈએ કે કંગના અને દિલજીત દોસાંઝ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ 2020માં શરૂ થયું હતું જ્યારે દિલજીતે તેને ખોટો દાવો કરવા બદલ સુધાર કર્યો હતો અને કહ્યું હતું કે કિસાન વિરોધમાં ભાગ લેનારી વૃદ્ધ શીખ મહિલા શાહીન બાગ દાદીબિલકિસ બાનો જેવી જ મહિલા છે. તે બાદ તેઓ વચ્ચે ટ્વિટર યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને બંનેએ એકબીજા પર ખૂબ જ ખરાબ રીતે નિશાન સાધ્યું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
"મેં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખતા શીખવ્યું છે!" જાણો કયા પાકિસ્તાની બોલરે કર્યો આવો મોટો દાવો
બુકિંગ પછી પણ ઘરે નથી પહોંચી રહ્યો ગેસનો બાટલો? LPG ડીલરની મનમાની રોકવા તાત્કાલિક ડાયલ કરો આ નંબર
બુકિંગ પછી પણ ઘરે નથી પહોંચી રહ્યો ગેસનો બાટલો? LPG ડીલરની મનમાની રોકવા તાત્કાલિક ડાયલ કરો આ નંબર
Surat News: સુરતમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 30થી વધુ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ
Surat News: સુરતમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 30થી વધુ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ
LPG સંકટથી દેશભરમાં હાહાકાર! ગેસ એજન્સી બહાર લાગી લાંબી લાઈનો,  નથી થઈ રહ્યું બુકિંગ 
LPG સંકટથી દેશભરમાં હાહાકાર! ગેસ એજન્સી બહાર લાગી લાંબી લાઈનો,  નથી થઈ રહ્યું બુકિંગ 
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
Embed widget