શોધખોળ કરો
‘તારક મહેતા.....’માં હજી સુધી નથી મળ્યું આ લોકપ્રિય કેરેકટરનું રિપ્લેસમેન્ટ, જાણો વિગત
1/4

એવા પણ અહેવાલ છે કે આગામી એપિસોડમાં ડો. હાથીના પાત્રની ખૂબ જરૂર છે. તેથી નિર્માતાઓ જલદીથી કોઈ એક્ટરને ફાઇનલ કરવાની કોશિશમાં છે. ડો. હાથીનું પાત્ર ભજવનાર અભિનેતા આઝાદની જેમ દર્શકોને પ્રભાવિત કરે તેમ નિર્માતાઓ ઈચ્છતા હોવાથી નવા ડો. હાથીની પસંદગીમાં દરેક વાતનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
2/4

અહેવાલ મુજબ કવિ કુમાર આઝાદના નિધન બાદ નિર્માતા ડો. હાથીના પાત્ર માટે ઓડિશન લઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ એક્ટરની પસંદગી કરવામાં આવી નથી. નિર્માતા નવા ડો. હાથીનું કોમિક ટાઇમિંગ આઝાદ સાથે મેળ ખાતું હોય તેવા એક્ટરની શોધમાં છે. પરંતુ આટલા દિવસો વીતવા છતાં સફળતા મળી શકી નથી.
Published at : 27 Aug 2018 07:30 PM (IST)
View More





















