શોધખોળ કરો
‘પદ્માવત’ને લઈને હિંસાની વચ્ચે આ શહેરમાં થયું સૌથી વધારે ‘બુકિંગ’
1/4

નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષથી વિવાદોમાં રહેલી ભણશાળીની ફિલ્મ પદ્માવતને લઈને દર્શકોમાં જોરદાર ક્રેઝ છે. ફિલ્મ આવતીકાલે એટલે કે 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. એક બાજુ ફિલ્મને લઈને અમદાવાદ સહિત અનેક શહેરોમાં હિંસા થઈ રહી છે ત્યારે લોકોમાં ફિલ્મ જોવા માટે લાઈનો લાગી છે. અનેક સિનેમાઘરોમાં પહેલેથી જ તમામ શો હાઉસફુલ થઈ ગયા છે.
2/4

જોકે ફિલ્મની ટિકિટનો લઈને અનેક જગ્યાએ ખોટી અફવાઓ પણ ફેલાવમાં આવી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. મંગળવારે અહેવાલ હતા કે દિલ્હી-નોઈયડામાં બધી ટિકિટ વેચાઈ ગઈ છે. આ પ્રકારની ખોટા અહેવાલે ફેન્સ એક સમયે જરૂર નિરાશ કર્યા હતા. જોકે થિયેટર્સમાં શો ઝડપથી હાઉસફુલ થઈ રહ્યા છે.
Published at : 24 Jan 2018 11:46 AM (IST)
View More























