શોધખોળ કરો

દયાબેને તો 'તારક મહેતા'માં શૂટિંગ શરૂ કરી દીધું, જાણો દિશા વાકાણી પરત ફરી કે પછી કોઈ નવી એક્ટ્રેસ આવી?

૨૦૧૮થી ચાલી રહેલી શોધ પૂરી, દિશા વાકાણીની જગ્યાએ નવી અભિનેત્રી કરશે જેઠાલાલ સાથે ગરબા.

TMKOC new Dayaben actress: લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે સારા સમાચાર છે. શોના નિર્માતાઓને આખરે નવી 'દયાબેન' મળી ગયા છે અને તેમનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. અગાઉ આ રોલ દિશા વાકાણી ભજવતા હતા, જે વર્ષ ૨૦૧૮માં રજા પર ગયા બાદ શોમાં પાછા ફર્યા નથી. નિર્માતા આસિત મોદીએ દિશા વાકાણીને પરત લાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ સફળ થયા નહોતા. થોડા મહિના પહેલા આસિત મોદીએ પોતે જ ખાતરી આપી હતી કે હવે દિશા વાકાણી ક્યારેય 'તારક મહેતા'માં પાછા નહીં ફરે.

હવે 'ન્યૂઝ૧૮'ના અહેવાલ અનુસાર એક સૂત્રએ જણાવ્યું છે કે દયાબેનના રોલ માટે અનેક ઓડિશન લીધા બાદ આસિત મોદીને આખરે તેમની પસંદની અભિનેત્રી મળી ગઈ છે. દયાના રોલ માટે એક અભિનેત્રીને પસંદ કરવામાં આવી છે, જેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એટલું જ નહીં, ટીમ હાલમાં તેમની સાથે મોક શૂટ પણ કરી રહી છે.

સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે આસિત મોદીને દયાબેનના રોલ માટે આ અભિનેત્રીનું ઓડિશન ખૂબ જ પસંદ આવ્યું અને તેઓ તેનાથી ઘણા પ્રભાવિત થયા હતા. આ અભિનેત્રી છેલ્લા એક અઠવાડિયાથી ટીમ સાથે શૂટિંગ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી ૨૦૨૫માં અસિત મોદીએ દિશા વાકાણીની વાપસી અંગે કહ્યું હતું કે તેઓ હજુ પણ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેમને લાગી રહ્યું છે કે દિશા વાકાણી હવે કદાચ પાછા નહીં આવી શકે કારણ કે તેમને બે બાળકો છે. તેમણે દિશા વાકાણી સાથેના પોતાના પારિવારિક સંબંધો વિશે પણ વાત કરી હતી. આમ, લાંબા સમયની રાહ જોયા બાદ આખરે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને તેની નવી 'દયાબેન' મળી ગઈ છે અને હવે દર્શકો જેઠાલાલ સાથે તેમની નવી જોડીને જોવા માટે ઉત્સુક હશે.

આ વર્ષે મીડિયા સાથે વાતચીત દરમિયાન શોના નિર્માતા અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે દિશા વાકાણી હવે 'દયાબેન'ના રોલમાં પરત ફરશે નહીં. તેમણે જણાવ્યું હતું કે દિશા વાકાણીએ પોતાની પ્રેગ્નન્સીને કારણે શો છોડવાનો નિર્ણય લીધો હતો અને હાલમાં તે તેના બે બાળકોની સંભાળ રાખવામાં વ્યસ્ત છે.

દિશા વાકાણી લગ્ન પછી વર્ષ ૨૦૧૮માં પ્રસૂતિ રજા પર ગઈ હતી અને ત્યારથી તે શોમાં પાછી આવી નથી. આ અંગે વાત કરતા અસિત મોદીએ કહ્યું હતું કે, "મને લાગે છે કે દિશા વાકાણી હવે પાછી નહીં આવી શકે. તેને બે બાળકો છે. તે મારી બહેન જેવી છે. આજે પણ તેના પરિવાર સાથે અમારો ઘણો ગાઢ સંબંધ છે."

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ ભારતના સૌથી લોકપ્રિય ટીવી શોમાંનો એક છે. વર્ષ ૨૦૦૮થી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને તેણે લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. પોતાના અનોખા પાત્રો અને રસપ્રદ વાર્તાઓના કારણે આ શો લાંબા સમયથી દર્શકોનો પ્રિય રહ્યો છે.

શોના મુખ્ય પાત્રો જેઠાલાલ, તારક મહેતા, આત્મારામ તુકારામ ભીડે, બબીતા ​​અય્યર, ટપ્પુની સાથે સાથે દયાબેનનું પાત્ર પણ સૌથી વધુ ચર્ચિત રહ્યું છે, જેને દિશા વાકાણીએ ભજવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે નવી દયાબેનને દર્શકો કેટલો પ્રેમ આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget