શોધખોળ કરો

રામાયણના ‘રાવણ’ ઉર્ફે અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં હાર્ટ એટેકથી અવસાન, તેઓ લાંબા સમયથી બીમાર હતા

અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ એબીપી ન્યૂઝને ફોન પર તેના કાકા અરવિંદ ત્રિવેદીના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

મુંબઈ: 1987 માં દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગરની અત્યંત લોકપ્રિય પૌરાણિક સિરિયલ 'રામાયણ'માં રાવણનો રોલ કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારે રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. તેઓ 82 વર્ષના હતા અને લાંબા સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. આ કારણે તે ચાલવામાં પણ અસમર્થ હતા.

અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ એબીપી ન્યૂઝને ફોન પર તેના કાકા અરવિંદ ત્રિવેદીના મૃત્યુની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, "કાકા છેલ્લા કેટલાક વર્ષોથી સતત બીમાર હતા. છેલ્લા 3 વર્ષથી તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. આવી પરિસ્થિતિમાં, તેને બે-ત્રણ વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તે એક મહિના પહેલા ફરી એક વખત હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા હતા. મંગળવારે રાત્રે 9-9.30 વાગ્યે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને કાંદિવલીમાં તેના ઘરમાં જ તેનું મૃત્યુ થયું હતું. "

એબીપી ન્યૂઝને માહિતી આપતા કૌસ્તુભ ત્રિવેદીએ કહ્યું કે કાકા અરવિંદ ત્રિવેદીના અંતિમ સંસ્કાર બુધવારે સવારે 8 વાગ્યે કાંદિવલીના દહાણુકર વાડી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

અરવિંદ ત્રિવેદીની અભિનય કારકિર્દી

શરૂઆતના તબક્કામાં, 'રામાયણ' સિરિયલમાં કામ કરતી વખતે અરવિંદ ત્રિવેદીને ખ્યાલ પણ નહોતો કે સિરિયલની લોકપ્રિયતા અને તેના પાત્રને કારણે લોકો તેના વ્યક્તિત્વને એટલી નફરત કરવા લાગશે કે જાણે તે સાચો રાવણ હોય અને વાસ્તવિક જીવન પણ વિલન હોય. 'રામાયણ'માં કામ કરતા પહેલા સેંકડો ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા અરવિંદ ત્રિવેદીએ કલ્પના પણ નહોતી કરી કે 'રામાયણ'માં રાવણનું પાત્ર ભજવવાથી તેની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચશે અને તેની ઓળખ એક ગુજરાતી અભિનેતાથી અલગ રાષ્ટ્રવ્યાપી સ્તરે અલગથી ઓળખ બનશે અને જોતજોતામાં તેઓ ઘરે ઘરે ઓળખાશે.

'રામાયણ' પછી અરવિંદ ત્રિવેદીએ 'વિક્રમ અને બેતાલ' સિવાય અન્ય ઘણી હિન્દી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ આજે પણ તેઓ રામાનંદ સાગરની 'રામાયણ'માં રાવણની ભૂમિકા માટે જાણીતા છે. તેમણે 300 થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો અને ઘણા ગુજરાતી નાટકોમાં તેમના મજબૂત અભિનયની છાપ છોડી.

તમને જણાવી દઈએ કે, 'રામાયણ'માં રાવણના તેમના પાત્રની સફળતા બાદ અરવિંદ ત્રિવેદીને ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી. તેમણે ગુજરાતના સાબરકાંઠાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી એટલું જ નહીં, રાવણના પૌરાણિક પાત્રની સફળતાને કારણે તેઓ ચૂંટણી પણ જીત્યા હતા. તેઓ 1991 થી 1996 સુધી લોકસભા સાંસદ હતા. અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી રંગભૂમિ અને સિનેમાના જાણીતા અભિનેતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Embed widget