શોધખોળ કરો
આતંકવાદી ઘૂસ્યા હોવાની આશંકાએ દરિયાઇકાંઠા વિસ્તારોમાં હાઇએલર્ટ, દ્વારકા હોઈ શકે છે મુખ્ય ટાર્ગેટ
1/7

દરિયામાં જહાજોના નિયંત્રણ માટે વેસલ ટ્રાફિક મોનિટરિંગ સીસ્ટમ ( વીટીએમએસ)નો ઉપયોગ કરવામાં આવે છે. આ સીસ્ટમની મદદથી દરિયામાં 30 કીમી સુધીના વિસ્તારમાં બોટોની અવરજવર જોઇ શકાય છે. પેટ્રોલિંગ દરમિયાન કોઇ શંકાસ્પદ બોટ દેખાઇ તો તરત તેનું ચેકિંગ કરવામાં આવી રહયું છે. ભરૂચમાં પેટ્રોલિંગ માટે આ સીસ્ટમની મદદ લેવાઇ રહી છે.
2/7

ભરૂચ પોલીસની મદદ માટે ખાસ તાલીમ પામેલાં મરીન ટાસ્ક કમાન્ડોની ફાળવણી કરવામાં આવી છે. એસઓજી, મરીન પોલીસ તથા કમાન્ડોની ટીમ બોટમાં 15થી વધારે નોટીકલ માઇલ વિસ્તાર આવરી લઇ દરિયામાં થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને દહેજ ખાતે ચાર જેટી આવેલી હોવાથી ત્યાં જહાજોની અવરજવર રહેતી હોવાથી સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. દહેજ મરીન પીઆઇ વિપુલ પટેલ તથા તેમની ટીમ માછીમારો સાથે સંપર્કમાં રહી કાંઠા વિસ્તારો પર નજર રાખી રહી છે. પોલીસ તથા કમાન્ડોના અત્યાર સુધીના પેટ્રોલિંગ કોઇ શંકાસ્પદ બોટ કે વસ્તુ મળી આવી નથી.
Published at : 06 Oct 2016 08:19 AM (IST)
Tags :
TerroristView More




















