શોધખોળ કરો
સર્જિકલ સ્ટ્રાઈકમાં ઘણું જોખમ હતું, મને સફળતાથી વધુ જવાનોની ચિંતા હતી: PM મોદી
1/4

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ નવા વર્ષનો પહેલો ઇન્ટરવ્યૂ આપતાં અનેક મુદ્દે વાત કરી હતી. જેમાં સર્જિકલ સ્ટ્રાઈકની પણ વાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું, સર્જિકલ સ્ટ્રાઈકમાં ખતરો હતો, પરંતુ તેને આ ઓપરેશનની સફળતા કે નિષ્ફળતાની ચિંતા કરતા વધુ ચિંતા જવાનોની સુરક્ષાને લઈને હતી.
2/4

પીએમ મોદીએ કહ્યું, જ્યાં સુધી આપણાં જવાન LoCની બીજી તરફ હતા, હું ચિંતામા હતો. સવારના સમયે લગભગ એક કલાક સુધી સુચનાઓ મળતી બંધ થઈ ગઈ, આ સમય ઘણો જ મુશ્કેલ હતો. જે બાદ મને જણાવવામાં આવ્યું કે તેઓ હજુ પરત નથી ફર્યાં, જો કે એક-બે યુનિટ સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી ગયા છે એટલે પરેશાન ન થતાં. મેં કહ્યું કે હું ત્યાં સુધી નિશ્ચિત ન થઈ શકું જ્યાં સુધી આપણો છેલ્લામાં છેલ્લો જવાન પરત ન ફરે.
Published at : 01 Jan 2019 09:18 PM (IST)
Tags :
PM ModiView More




















