શોધખોળ કરો
સર્જિકલ સ્ટ્રાઈકમાં ઘણું જોખમ હતું, મને સફળતાથી વધુ જવાનોની ચિંતા હતી: PM મોદી

1/4

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ નવા વર્ષનો પહેલો ઇન્ટરવ્યૂ આપતાં અનેક મુદ્દે વાત કરી હતી. જેમાં સર્જિકલ સ્ટ્રાઈકની પણ વાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું, સર્જિકલ સ્ટ્રાઈકમાં ખતરો હતો, પરંતુ તેને આ ઓપરેશનની સફળતા કે નિષ્ફળતાની ચિંતા કરતા વધુ ચિંતા જવાનોની સુરક્ષાને લઈને હતી.
2/4

પીએમ મોદીએ કહ્યું, જ્યાં સુધી આપણાં જવાન LoCની બીજી તરફ હતા, હું ચિંતામા હતો. સવારના સમયે લગભગ એક કલાક સુધી સુચનાઓ મળતી બંધ થઈ ગઈ, આ સમય ઘણો જ મુશ્કેલ હતો. જે બાદ મને જણાવવામાં આવ્યું કે તેઓ હજુ પરત નથી ફર્યાં, જો કે એક-બે યુનિટ સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી ગયા છે એટલે પરેશાન ન થતાં. મેં કહ્યું કે હું ત્યાં સુધી નિશ્ચિત ન થઈ શકું જ્યાં સુધી આપણો છેલ્લામાં છેલ્લો જવાન પરત ન ફરે.
3/4

પીએમ મોદીએ કહ્યું, અમારું જોર માત્ર તે વાત પર હતું કે ઓપરેશન દરમિયાન આપણો એક પણ જવાન શહીદ ન થાય. હું જાણતો હતો કે આમાં ઘણો જ ખતરો છે. મેં ક્યારેય મારા માટે કોઈ રાજકીય ખતરાની ચિંતા નથી કરી. મારી સૌથી મોટી ચિંતા માત્ર જવાનોની સુરક્ષા હતી.
4/4

સર્જિકલ સ્ટ્રાઈક અંગે પીએમ મોદીએ કહ્યું, જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્જિકલ સ્ટ્રાઈકની તારીખ બે વખત બદલવામાં આવી હતી. ઉરી હુમલામાં જવાનોને જીવતા સળગાવવામાં આવ્યાં બાદ સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવવામાં આવી હતી. મારા અને સેનાની અંદર એક ગુસ્સો ઉકળી રહ્યો હતો. મેં જવાનોને સંદેશો મોકલ્યો કે મિશનની સફળતા કે નિષ્ફળતા અંગે ન વિચારતા. કોઈ પણ પ્રલોભનમાં ન આવતા. સવાર થતાં પહેલાં કોઈ પણ કાળે પરત આવજો.
Published at : 01 Jan 2019 09:18 PM (IST)
Tags :
PM Modiવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
