શોધખોળ કરો
શિવપાલ યાદવે 'સમાજવાદી સેક્યુલર મોર્ચા'ના નામથી નવી પાર્ટી બનાવી, મુલાયમ સિંહ હશે અધ્યક્ષ
1/4

શિવપાલ યાદવના આ નિવેદન પછીથી જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે શિવપાલ યાદવ નવી પાર્ટી બનાવી શકે છે. આ ઉપરાંત શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવનું નામ લીધા વગર તેમને શકુની ગણાવ્યા હતા. શિવપાલે કહ્યું હતું કે, ભલે મે સમાજવાદી સંવિધાન ન વાંચ્યું હોય પરંતુ તેના રચેતાએ ગીતા વાંચવાની ચોક્કસ જરૂર છે. આમ તેમણે રામગોપાલ યાદવ પર સીધો પ્રહાર કર્યો હતો.
2/4

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ શિવપાલ યાદવે અખિલેશ યાદવને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ પર મુલાયમ સિંહને પરત કરી દે. જો અખિલેશ પાર્ટી અધ્યક્ષ પદ નહીં છોડે તો પાર્ટીનું તૂટવુ નક્કી છે. શિવપાલે જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણી વખતે અખિલેશે મીડિયા સામે કહ્યું હતું કે તેઓ માત્ર 3 મહિના માટે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે, તેઓ ચૂંટણી પછી આ પદ ફરી મુલાયમ સિંહને સોંપી દેશે. તો હવે તેમણે તેમનો વાયદો નીભાવીને આ પદ નેતાજીને સોંપી દેવું જોઈએ.
Published at : 05 May 2017 01:44 PM (IST)
Tags :
Shivpal YadavView More























