શોધખોળ કરો

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

Gandhinagar POCSO court verdict: માત્ર 5 મહિનામાં પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આરોપીનું જેલમાં મોત થયા બાદ જ લાશ પરિવારને સોંપવા હુકમ, પીડિતાને 10 લાખનું વળતર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપીને આજીવન કેદની સજા.
  • નરાધમ આરોપી રામનીત યાદવને જેલમાં જ મોત સુધી સજા.
  • પીડિત બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ.
  • પોલીસે 13 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી, 5 મહિનામાં ચુકાદો.

Gandhinagar POCSO court verdict: ગાંધીનગરમાં એક 4 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે નરાધમ આરોપી રામનીત યાદવને તેના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. ગુનાની ગંભીરતા જોતા કોર્ટે કડક આદેશ કર્યો છે કે આરોપીનું જેલમાં જ મોત થાય તે પછી જ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવે. આ સાથે પીડિત બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરાયો છે. પોલીસે આ કેસમાં ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી અને માત્ર 5 મહિનામાં જ કોર્ટે ન્યાય આપીને સમાજમાં કડક દાખલો બેસાડ્યો છે.

10 દિવસની રેકી બાદ આચર્યું હતું પાપ

બનાવની વિગતવાર વાત કરીએ તો, 15 ડિસેમ્બર 2025 ના રોજ ગાંધીનગરના સેક્ટર 24 ના ઈન્દિરા નગર છાપરા વિસ્તારમાં આ હચમચાવી દેતી ઘટના બની હતી. આરોપી રામનીત યાદવ કરિયાણાની દુકાને આવતો ત્યારે તેની નજર આ બાળકી પર પડી હતી. તેણે આ દુષ્કૃત્ય કરવા માટે 10 દિવસ અગાઉથી જ પ્લાન બનાવ્યો હતો અને સતત ઘરની રેકી કરતો હતો. રાત્રે ઘરમાં ઘૂસીને સૂતેલી બાળકીનું અપહરણ કરી તે નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં દુષ્કર્મ આચર્યા પછી તે બાળકીને મરેલી સમજીને ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. થોડીવાર પછી બાળકી જીવતી છે કે મરી ગઈ તે જોવા તે પાછો પણ આવ્યો હતો. જોકે, બાળકીની હિંમતને દાદ આપવી પડે કે તે હોશમાં આવતા જ લથડતા પગે ઘરે પહોંચી ગઈ અને પરિવારને આપવીતી જણાવી દીધી, જેનાથી આખા પાપનો ભાંડો ફૂટ્યો.

પોલીસ પર હુમલો અને 13 દિવસમાં ચાર્જશીટ

બનાવની જાણ થતાં જ પોલીસ તરત એક્શનમાં આવી ગઈ હતી. ગુનો કર્યા પછી આરોપી પોતાનું પાપ છુપાવીને વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો, પણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને 5 દિવસમાં જ ઝડપી લીધો હતો. આ કેસમાં તપાસ દરમિયાન જ્યારે પોલીસ આરોપીને લઈને ઘટનાસ્થળે 'રિ-કન્સ્ટ્રક્શન' (બનાવનું પુનરાવર્તન) કરવા ગઈ, ત્યારે તેણે પોલીસ પર જ હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોતાનો બચાવ કરવા અને આરોપીને રોકવા માટે પોલીસે 3 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપીને પગમાં ગોળી વાગતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો

ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના જણાવ્યા મુજબ, પોલીસે અલગ-અલગ એજન્સીઓ અને FSL ની મદદથી મજબૂત વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરી રાત-દિવસ એક કરીને માત્ર 13 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.

5 મહિના અને 10 દિવસમાં મળ્યો ન્યાય

ગાંધીનગરના જિલ્લા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ જણાવ્યું કે, સ્પેશિયલ કોર્ટના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ અને સ્પેશિયલ પોક્સો જજ એસ.વી. શર્માની કોર્ટમાં આ કેસ માત્ર 5 મહિના અને 10 દિવસમાં જ પૂરો કરવામાં આવ્યો. પોલીસની જડબેસલાક કામગીરી અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને આકરી સજા ફટકારી સ્પષ્ટ કરી દીધું છે કે આવા ગંભીર ગુનાઓમાં આરોપીને જીવતેજીવ જેલની બહાર આવવાની કોઈ જ તક મળશે નહીં.

આ પણ વાંચોઃ 7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને નિશાન બનાવતા બે મહાઠગ ભુજથી ઝડપાયા, આંગડિયાના નામે કરતા છેતરપિંડી

Frequently Asked Questions

ગાંધીનગર POCSO કોર્ટમાં શું ઐતિહાસિક ચુકાદો આવ્યો છે?

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી રામનીત યાદવને સ્પેશિયલ POCSO કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીનું મોત જેલમાં જ થાય તેવો આદેશ કરાયો છે.

આરોપીએ ગુનો કેવી રીતે આચર્યો હતો?

આરોપીએ 10 દિવસ રેકી કરી, રાત્રે બાળકીનું અપહરણ કરી નજીકની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાળકી હોશમાં આવી ઘરે પહોંચતા ગુનો પ્રકાશમાં આવ્યો.

પોલીસે આ કેસમાં કેટલી ઝડપી કાર્યવાહી કરી?

પોલીસે માત્ર 13 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આરોપીને બિહાર ભાગી જતા પહેલા 5 દિવસમાં જ ઝડપી લીધો હતો.

આ કેસનો ન્યાય કેટલા સમયમાં મળ્યો?

પોલીસની મજબૂત પુરાવા આધારિત કામગીરીને કારણે, કોર્ટે માત્ર 5 મહિના અને 10 દિવસમાં જ આરોપીને આકરી સજા ફટકારી ન્યાય આપ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Embed widget