શોધખોળ કરો

Corona omicron: ઓમિક્રોનને વધતા જતાં કેસ વચ્ચે એક્સ્પર્ટે આપ્યું મહત્વનું નિવેદન, જાણો એક્સ્પર્ટે શું આપી ચેતાવણી

નિષ્ણાતો કહે છે કે, ઓમિક્રોનના લક્ષણો ગંભીર નથી પરંતુ તેને હળવાશથી ન લેવા જોઈએ. આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં તેનો ફેલાવો ખતરનાક બની શકે છે. ઓમિક્રોન વધુ સંક્રામક હોવાથી તો તે એવા લોકોને બીમાર કરી શકે છે જેઓ ક્રોનિક રોગોથી પીડિત

નવી દિલ્લીના એમ્સના મેડિસિન વિભાગના ડૉ. નીરજ નિશ્ચલે  જણાવ્યું કે, ભલે ઓમિક્રોનના લક્ષણો ગંભીર ન હોય, પરંતુ તેને હળવાશથી ન લેવો જોઈએ. આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં તેનો ફેલાવો  ખતરનાક બની શકે છે. તે એવા લોકોને સરળતાથી ઝપેટમાં લઇ શકે છે. જે પહેલાથી બીમારીથી પીડિત છે.  આવી સ્થિતિમાં જો એક ટકા લોકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો  પણ મુશ્કેલી વધી શકે છે, એટલા માટે લોકોએ માત્ર પોતાના વિશે જ વિચારવાને બદલે અન્ય બાબતો તરફ ધ્યાન આપવું પડશે. એ સમજવું પડશે કે કોરોના એક મોટી મહામારી છે. જ્યારે તે હાજર હોય ત્યારે તેની સામે રક્ષણના નિયમોનું પણ પાલન કરવું પડે છે. બેદરકારી આપણને કોઈ મોટા જોખમ તરફ દોરી શકે છે.

 
વેક્સિનનો મહત્વનો રોલ 
ડૉ.નીરજ કહે છે કે, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ આવ્યો હતો. તે દરમિયાન મોટાભાગના લોકોને રસી આપવામાં આવી ન હતી. પરંતુ ઓમિક્રોન સમયે હવે મોટાભાગના લોકો વેક્સિનેટ છે. તેમ છતાં પણ  ઘણા દેશોમાં જ્યાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે ત્યાં કેસ  વધી રહ્યા છે. ત્યાં  મૃત્યુ પણ થઇ રહ્યાં છે. આ જ કારણ છે કે ઓમિક્રોનને હળવાશથી ન લેવો જોઇએ. 

વેક્સિન જરૂર લો
ડો. કહે છે કે,  જેમણે રસી લીધી નથી. તેઓ ઝડપથી  સંક્રમતિ થઇ  શકે છે. તેથી, શક્ય તેટલી વહેલી તકે વેક્સિન લેવી હિતાવહ છે.  રસી લેવાથી કોઈ નુકસાન નથી,  પરંતુ તે આપણા શરીરને ઇન્ફેકશનથી બચાવે ચોક્કસ છે. વેક્સિનેટ લોકો સંક્રમિત થાય તો પણ  હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

 દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના  58,097 કેસ નોંધાયા હતા, જ્યારે તેની સામે 15,389 રિકવર થયા હતા. તો 534 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા હતા. દેશનો દૈનિક પોઝિટીવિટી રેટ 4.18% છે. દેશમાં એક્ટિવ કેસ 2,14,004  એ પહોંચી ગયા છે. જ્યારે ટોટલ  3,43,21,803 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે કુલ  4,82,551 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે  અત્યાર સુધીમાં 147.72 કરોડ વેક્સિન આપવામાં આવી છે. 

દેશમાં ઓમિક્રોનના કુલ 2135 કેસ થયા છે. જ્યારે તેની સામે 828 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્લીમાં સૌથી વધુ 653 અને 464 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget