શોધખોળ કરો

Health Advice: જમ્યાં બાદ ભૂલેચૂકે પણ ન કરો આ કામ, થાય છે નુકસાન

Health Advice:જો આપ ફિટ રહેવા માંગતા હોવ તો તમારે તમારા આહાર અને ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. તમારો આહાર સ્વાસ્થ્ય માટે જેટલો વધુ શિસ્તબદ્ધ હશે, તેટલા તમે સ્વસ્થ રહી શકશો

Health Advice:જો આપ  ફિટ   રહેવા માંગતા હોવ તો તમારે તમારા આહાર અને ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. તમારો આહાર સ્વાસ્થ્ય માટે જેટલો વધુ શિસ્તબદ્ધ હશે, તેટલા તમે સ્વસ્થ રહેશો. જો તમે તમારા આહારમાં બેદરકાર રહેશો તો તમારા શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે તમારે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ અને કેટલું ખાવું જોઈએ. આ સાથે  ખાધા બાદ આ  8 કામ ન કરવા જોઇએ. લાઇફ ટૂ હેલ્ધની ફાઉન્ડર નિધિએ શું આપ્યો ફિટનેસ મંત્ર, જાણીએ

 ભોજન ખાધા પછી આ કામ ન કરવું
નિધિ શર્માએ પોતાના સોશિયલ પ્લેટફોર્મ દ્વારા જણાવ્યું કે, જો તમે સમયસર ભોજન કરો છો તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નિધિ શર્માએ ખાધા પછી આ આદતોથી બચવાની સલાહ આપી...

 જમ્યા બાદ એક્સરસાઇઝ ટાળો
ખોરાક લીધા બાદ ક્યારેય કસરત ન કરો. તેનાથી પાચન બગડી શકે છે. આમ કરવાથી ઉબકા, ઉલટી, પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. તેથી કસરત ટાળવી જોઈએ. તે એસિડ રિફ્લક્સનું કારણ પણ બની શકે છે.

 જમ્યાં બાદ સૂવાનું ટાળો
ખોરાક ખાધા પછી સૂવાનું ટાળવું જોઈએ. જો તમે ખોરાક ખાધા પછી આરામ કરવા માંગો છો, તો તમારે ક્યારેય સૂવું જોઈએ નહીં. એટલું જ નહીં, વ્યક્તિએ નિદ્રા પણ ન લેવી જોઈએ. આ પાચન તંત્રને અસર કરી શકે છે અને ગંભીર રીતે જલન  પેદા કરી શકે છે.

 આગળ ઝૂકવાનું ટાળો
ખોરાક ખાધા પછી એવું કોઈ કામ ક્યારેય ન કરવું, જેમાં વ્યક્તિએ આગળ ઝૂકવું પડે. દરેક વ્યક્તિએ આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. આગળ ઝૂકવાથી પાચન તંત્રમાં કામ કરતા એસિડને નુકસાન થાય છે.

 ફળ ખાશો નહીં
જમ્યા પછી ફળ ન ખાવા જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિ જમ્યા પછી ફળ ખાય છે, તો તે ખોરાક પોષક તત્વોનું શોષણ ઘટાડે છે. જેના કારણે શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

 ચા કે કોફી ન પીવી
ચા કે કોફીમાં ફેનોલિક સંયોજનો જોવા મળે છે. જો તમે જમ્યા પછી ચા અથવા કોફીનું સેવન કરો છો, તો તે પૌષ્ટિક આહારમાં હાજર આયર્ન જેવા પોષક તત્વોના શોષણમાં અવરોધનું કામ કરે છે. આ તદ્દન હાનિકારક હોઈ શકે છે.

 જમ્યા પછી સ્નાન કરવાનું ટાળો
જો તમને ક્યારેય ખાધા પછી નહાવાનું મન થાય તો તેને ટાળો. વાસ્તવમાં, જમ્યા પછી, પાચનમાં મદદ કરવા માટે રક્ત  પેટને ઘેરી લે છે, પરંતુ જ્યારે તમે સ્નાન કરો છો, ત્યારે શરીરનું તાપમાન બદલાય છે. તે તદ્દન હાનિકારક છે. તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

 પાણી પીવાનું ટાળો
જ્યારે પણ તમે ખોરાક લો ત્યારે કોશિશ કરો કે તમારે વધારે પાણી ન પીવું પડે. પાણી પાચનતંત્રને નબળું પાડે છે. પુષ્કળ પાણી પીવાથી પેટમાં એસિડ પાતળું થાય છે અને પાચન પ્રક્રિયા બગડે છે. તેથી પાણી પીવાનું ટાળવું જોઈએ.

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Embed widget