![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Air Pollution: દિલ્લીમાં AQI લેવલ ચિંતાજનક સ્તરે 400ને પાર, AQI લેવલ 100થી પાર પહોંચવા પર કઇ બીમારીનું વધે છે જોખમ
દિલ્હીની હવા ફરી એકવાર ઝેરી બની ગઈ છે અને AQI લેવલ 400ને પાર કરી ગયું છે, આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ છીએ કે AQI લેવલ 100થી વધુ પહોંચવા પર કઈ બીમારીઓનું જોખમ વધી જાય છે..
![Air Pollution: દિલ્લીમાં AQI લેવલ ચિંતાજનક સ્તરે 400ને પાર, AQI લેવલ 100થી પાર પહોંચવા પર કઇ બીમારીનું વધે છે જોખમ AQI level in Delhi alarmingly crosses 400, risk of which disease increases when AQI level crosses 100 Air Pollution: દિલ્લીમાં AQI લેવલ ચિંતાજનક સ્તરે 400ને પાર, AQI લેવલ 100થી પાર પહોંચવા પર કઇ બીમારીનું વધે છે જોખમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/59a2808a58113a9e0c921e40a3ac51aa169917289633481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Air Pollution:દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુડગાંવ, નોઈડાની હવા ઝેરી બની રહી છે, ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં મોટી માત્રામાં પરાલી સળગાવવાને કારણે તેની સીધી અસર રાજધાની દિલ્હી પર પડી રહી છે. જેના કારણે અહીંની હવા રહેવાસીઓ માટે વધુ ઝેરી બની છે અને દિવાળી આસપાસ પ્રદૂષણમાં વધુ વધારો થશે તેવી અટકળો ચાલી રહી છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 થી ઉપર પહોંચી ગયો છે, આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે જ્યારે AQI 100 થી ઉપર પહોંચી જાય છે, તો આવા વાતાવરણમાં રહેવાથી કયા રોગોનું જોખમ વધી શકે છે.
શ્વાસનળીનો સોજો
નિષ્ણાતોના મતે વાયુ પ્રદૂષણને કારણે બ્રોન્કાઇટિસનો ખતરો વધી રહ્યો છે. જેની સીધી અસર બાળકો અને વૃદ્ધો પર પડી રહી છે. આવી સ્થિતિમાં અસ્થમા, ફેફસાના રોગ અને બ્રોન્કાઇટિસ જેવી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ડૉક્ટરનું માનવું છે કે, જે લોકો પહેલાથી જ આ બીમારીઓથી પીડિત છે તેમણે ક્રોનિક બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવી સમસ્યાઓ માટે નિયમિતપણે દવાઓ લેતા રહેવું જોઈએ.
આંખમાં બળતરા અને માથાનો દુખાવો
વાયુ પ્રદૂષણ આંખોને સૌથી વધુ અસર કરે છે. આંખો લાલ થઈ શકે છે, બળતરા થઈ શકે છે, દ્રષ્ટિ ઝાંખી થઈ શકે છે અને તેના કારણે માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
હૃદય રોગ
વાયુ પ્રદૂષણને કારણે હૃદય રોગનું જોખમ પણ વધે છે, તેનાથી હૃદય અને રક્ત વાહિનીઓમાં સોજો આવી શકે છે. ઘણા અહેવાલો દર્શાવે છે કે આ પ્રદૂષણથી સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર પણ થઈ શકે છે.
ત્વચા ચેપ
વાયુ પ્રદૂષણને કારણે અનેક પ્રકારના ચામડીના રોગો પણ થઈ શકે છે. જેમાં ખરજવું સામેલ છે. સૉરાયિસસ અને ખીલ સહિત. એટલું જ નહીં વાયુ પ્રદૂષણને કારણે ત્વચા પર લાલ કે કાળા ડાઘ પણ પડી શકે છે, જેને ઘટાડવામાં વધુ સમય લાગે છે.
ફેફસાના રોગ
ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ આ એ ફેફસાનો રોગ છે.જેમાં શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય છે. સામાન્ય રીતે આ રોગ હવામાં રહેલા હાનિકારક કણોને કારણે થાય છે, જેના માટે વાયુ પ્રદૂષણ, સિગારેટ અને આલ્કોહોલનું વગેરે કારણો જવાબદાર છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)