શોધખોળ કરો

ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?

Indian thali diabetes risk: હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે માત્ર કાર્બોહાઈડ્રેટ્સથી ભરેલી થાળી ડાયાબિટીસ અને વજન વધારી શકે છે, જાણો ડાયેટને બેલેન્સ કરવાની સાચી રીત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય થાળીમાં વધુ કાર્બ્સ ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.
  • પ્રોટીન-ફાઈબરની ઉણપ ગ્લુકોઝ લોડ વધારી, સ્વાસ્થ્ય બગાડે છે.
  • થાળીમાં 50% શાકભાજી, 25% પ્રોટીન, 25% કાર્બ્સ સંતુલિત કરો.

Indian thali diabetes risk: આપણા ભારતીય ઘરોમાં દાળ, રોટલી, શાક અને ભાત વગરનું ભોજન અધૂરું મનાય છે. વર્ષોથી ચાલી આવતી આ ખાણીપીણીની પરંપરા હવે ડૉક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સના મતે ચિંતાનો વિષય બની છે. ભારત પહેલેથી જ ડાયાબિટીસના દર્દીઓથી ભરેલો દેશ છે, ત્યારે એક જ થાળીમાં વધુ પડતા કાર્બોહાઈડ્રેટ્સ (જેમ કે રોટલી અને ભાત એકસાથે) ખાવાની આદત બ્લડ સુગર અને સ્થૂળતા વધારી શકે છે. જોકે, નિષ્ણાતો એવું બિલકુલ નથી કહેતા કે તમારે રોટલી કે ભાત ખાવાનું બંધ કરી દેવું જોઈએ, પરંતુ સાચી જરૂરિયાત એ છે કે તમારી થાળીમાં પ્રોટીન અને ફાઇબરનું યોગ્ય સંતુલન જાળવવામાં આવે.

આખરે દાળ-રોટલી અને ભાતમાં સમસ્યા શું છે?

જયપુરની સીકે બિરલા હોસ્પિટલના સિનિયર ડાયેટિશિયન દિવ્યા જૈન સમજાવે છે કે, અસલી સમસ્યા દાળ, રોટલી કે ભાત ખાવાની નથી, પરંતુ તમે તેને કેટલી માત્રામાં અને કેવી રીતે ખાઓ છો તેની છે. ભારત ડાયાબિટીસનું હબ બની રહ્યું છે, તેથી ડૉક્ટર્સ હવે આપણી ખાવાની રોજિંદી આદતો પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

કોના માટે નુકસાનકારક બની શકે છે આપણી થાળી?

સામાન્ય ભારતીય થાળીમાં મોટાભાગે ભાત, રોટલી, બટાકાનું શાક, દાળ અને મીઠાઈ હોય છે. આ બધી જ વસ્તુઓ કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે. જ્યારે તમે એક જ ભોજનમાં આટલા બધા કાર્બોહાઈડ્રેટ્સ લો છો, ત્યારે શરીર પર 'ગ્લુકોઝનો લોડ' અચાનક વધી જાય છે.
જે લોકોને પહેલાથી જ પ્રિ-ડાયાબિટીસ, ડાયાબિટીસ, સ્થૂળતા (વધારે વજન), હાઈ બ્લડ પ્રેશર અથવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા છે, તેમના માટે આ પ્રકારની થાળી જોખમી સાબિત થઈ શકે છે.

આપણે જમવામાં ક્યાં ભૂલ કરી રહ્યા છીએ?

આજે સૌથી મોટી ભૂલ એ થઈ રહી છે કે આપણી થાળી કાર્બોહાઈડ્રેટ્સથી છલોછલ ભરેલી હોય છે, પરંતુ તેમાં પ્રોટીન અને ફાઈબર નામમાત્રના હોય છે.

લોકો 2 કે 3 રોટલીની સાથે ભાતનો મોટો વાટકો ખાઈ લે છે.

તેની સામે પનીર, દહીં, ઈંડા, માછલી, ચિકન કે દાળ જેવા પ્રોટીનયુક્ત ખોરાક બહુ ઓછા પ્રમાણમાં લેવાય છે.

શાકભાજી (ફાઈબર) નો ઉપયોગ માત્ર સ્વાદ પૂરતો 'સાઈડ ડિશ' તરીકે જ થાય છે.

આ પણ વાંચોઃ લીવરને કુદરતી રીતે ડિટોક્સ કરવા રોજ સવારે કરો આ 1 કામ

બદલાયેલી લાઈફસ્ટાઈલ પણ છે જવાબદાર

પહેલાના જમાનામાં લોકો ખૂબ શારીરિક મહેનત કરતા, એટલે ખાધેલું પચી જતું અને એનર્જી વપરાઈ જતી. આજે મોટાભાગના લોકો 8-10 કલાક ખુરશી પર બેસીને કામ કરે છે. ફિઝિકલ એક્ટિવિટી ઘટી ગઈ છે અને પ્રોસેસ્ડ ફૂડ વધી ગયું છે. આવામાં વધારે પડતા કાર્બ્સ પચવા મુશ્કેલ બને છે.

તમારી હેલ્ધી પ્લેટ (થાળી) કેવી હોવી જોઈએ?

નિષ્ણાતોના મતે રોટલી-ભાત છોડવાની જરૂર નથી, બસ પ્લેટને આ રીતે બેલેન્સ કરો:

50% ભાગ: તમારી પ્લેટનો અડધો ભાગ માત્ર લીલા શાકભાજી અને સલાડ (ફાઈબર) થી ભરેલો હોવો જોઈએ.

25% ભાગ: પ્લેટના ચોથા ભાગમાં પ્રોટીન હોવું જોઈએ (જેમ કે જાડી દાળ, પનીર, દહીં, ઈંડા, ચિકન કે માછલી).

25% ભાગ: બાકીના ચોથા ભાગમાં જ કાર્બોહાઈડ્રેટ્સ (એટલે કે રોટલી અથવા ભાત) હોવા જોઈએ. નિયમિત રૂપે એકસાથે વધારે પડતી રોટલી અને ભાત ખાવાનું ટાળો.

નિષ્ણાતની સલાહ: ડાયાબિટીસ કોઈ એક વસ્તુ ખાવાથી નથી થતો, પરંતુ લાંબા સમય સુધી અસંતુલિત ખોરાક ખાવાથી થાય છે. માટે ભોજનનો ત્યાગ કરવા કરતાં તેનું 'સંતુલન' કરતા શીખો.

(ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય સંશોધન અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. આને કોઈ તબીબી સલાહનો વિકલ્પ ન સમજવો. ડાયેટમાં કોઈપણ મોટો ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર કે ડાયેટિશિયનની સલાહ ચોક્કસ લેવી.)

આ પણ વાંચોઃ સવારનો નાસ્તો ન કરવાથી થશે આ મોટું નુકસાન

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

ભારતીય થાળી શા માટે ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે?

આપણી થાળીમાં દાળ, રોટલી, શાક અને ભાત એકસાથે વધુ પડતા કાર્બોહાઈડ્રેટ્સ ધરાવે છે. આનાથી બ્લડ સુગર અને સ્થૂળતા વધી શકે છે, જે ડાયાબિટીસ માટે ચિંતાનો વિષય છે.

દાળ, રોટલી કે ભાત ખાવામાં ખરેખર શું સમસ્યા છે?

સમસ્યા આ વસ્તુઓ ખાવાની નથી, પરંતુ તમે તેને કેટલી માત્રામાં અને કેવી રીતે ખાઓ છો તેની છે. એકસાથે વધુ કાર્બોહાઈડ્રેટ્સ લેવાથી શરીર પર ગ્લુકોઝનો ભાર અચાનક વધી જાય છે.

કયા લોકો માટે કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર થાળી જોખમી બની શકે છે?

પ્રિ-ડાયાબિટીસ, ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અથવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ધરાવતા લોકો માટે આવી થાળી જોખમી સાબિત થઈ શકે છે.

એક હેલ્ધી થાળી (પ્લેટ) કેવી હોવી જોઈએ?

થાળીનો 50% ભાગ લીલા શાકભાજી/સલાડ, 25% પ્રોટીન (દાળ, પનીર) અને બાકીનો 25% ભાગ કાર્બોહાઈડ્રેટ્સ (રોટલી કે ભાત) થી ભરેલો હોવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget