શોધખોળ કરો

Sugar Vs Honey :ડાયાબિટીસના દર્દી માટે ગોળ કે મધ બંનેમાંથી કયો વિકલ્પ છે ઉત્તમ?

ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા દર્દીઓ મધ અને ગોળનું સેવન કરે છે. કારણ કે ઘણા લોકો તેને હેલ્ધી વિકલ્પ માને છે. પ્રશ્ન એ છે કે શું બંને ડાયાબિટીસના દર્દીઓ માટે ખરેખર આ બંને હેલ્ધી વિકલ્પ છે?

Sugar Vs Honey :ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા દર્દીઓ મધ અને ગોળનું સેવન કરે છે. કારણ કે ઘણા લોકો તેને હેલ્ધી વિકલ્પ  માને છે. પ્રશ્ન એ છે કે શું બંને ડાયાબિટીસના દર્દીઓ માટે ખરેખર આ બંને હેલ્ધી વિકલ્પ છે? આવો જાણીએ આ વિશે

 ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સમસ્યાથી પીડિત દર્દીઓને જીવનભર અનેક પ્રતિબંધોમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને તેમને ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડશે. જો તેઓ આમ ન કરે તો લોહીમાં શુગરની માત્રા ખૂબ વધી જાય છે, જેના કારણે અનેક બીમારીઓ થવાનો ખતરો રહે છે. આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનું સેવન કરવાની સલાહ આપે છે. તેની સાથે આ સમસ્યાથી પીડિત દર્દીઓને મીઠાઈ ખાવાની પણ મનાઈ છે.   આવી સ્થિતિમાં  સ્વીટ ખાવાનું સદંતર બંધ થઇ જાય છે. ઘણા દર્દીઓ મીઠાઈના વિકલ્પ તરીકે મધ અને ગોળનું સેવન કરે છે. તો સવાલ એ થાય છે કે બેમાંથી કયું વધુ સ્વસ્થ છે? જાણીએ એક્સ્પર્ટનો શું છે મત

બ્લડ સુગર પર ગોળની અસર

આપણામાંથી મોટાભાગના લોકો ગોળને ડાયાબિટીસના દર્દીઓ માટે સાકર કરતાં વધુ સ્વાસ્થ્યવર્ધક અને વધુ યોગ્ય માને છે, પરંતુ  વાસ્તવમાં ડાયાબિટીસના દર્દીઓએ પણ ગોળનું સેવન ટાળવું જોઈએ. કારણ કે ગોળ ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનના સ્તરને પણ અસર કરે છે. ખરેખર તો ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી મળે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, ખાંડ અને ગોળ બંનેમાં હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ હોઈ શકે છે.  ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આહારમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનો સમાવેશ કરવાથી  બ્લડ સુગરનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે.

 બ્લડ સુગર પર  મધની અસર

  મધ કુદરતી ખાંડ અને કાર્બોહાઇડ્રેટ છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. 2004ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું  કે, સફેદ ખાંડ કરતાં મધ બ્લડ સુગરના સ્તર પર વધુ ફાયદાકારક  છે. મધ, ખાંડથી વિપરીત, ઇન્સ્યુલિનમાં વધારો કરી શકે છે, જે લોહીના ગંઠાઈ જવાને નિયંત્રિત કરી શકે છે.

 બેમાંથી કયું વધુ હેલ્ધી છે?

 મધ અને ગોળ બંને બ્લડ સુગર લેવલમાં વધારો કરે છે, પરંતુ મધનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ સ્વાસ્થ્યપ્રદ બની શકે છે. કારણ કે તેમાં સૂક્ષ્મ પોષકતત્વો હોય છે. આ સિવાય ગોળમાં મેગ્નેશિયમ, કોપર અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. તો  મધમાં વિટામિન બી, વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે ગોળ કરતાં વધુ ફાયદાકારક હોઈ શકે છે. તેથી ડાયાબિટીસમાં ગોળ અને મધની તુલના કરતા  મધનું સેવન કરવું વધુ યોગ્ય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
Embed widget