શોધખોળ કરો

Sugar Vs Honey :ડાયાબિટીસના દર્દી માટે ગોળ કે મધ બંનેમાંથી કયો વિકલ્પ છે ઉત્તમ?

ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા દર્દીઓ મધ અને ગોળનું સેવન કરે છે. કારણ કે ઘણા લોકો તેને હેલ્ધી વિકલ્પ માને છે. પ્રશ્ન એ છે કે શું બંને ડાયાબિટીસના દર્દીઓ માટે ખરેખર આ બંને હેલ્ધી વિકલ્પ છે?

Sugar Vs Honey :ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા દર્દીઓ મધ અને ગોળનું સેવન કરે છે. કારણ કે ઘણા લોકો તેને હેલ્ધી વિકલ્પ  માને છે. પ્રશ્ન એ છે કે શું બંને ડાયાબિટીસના દર્દીઓ માટે ખરેખર આ બંને હેલ્ધી વિકલ્પ છે? આવો જાણીએ આ વિશે

 ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સમસ્યાથી પીડિત દર્દીઓને જીવનભર અનેક પ્રતિબંધોમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને તેમને ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડશે. જો તેઓ આમ ન કરે તો લોહીમાં શુગરની માત્રા ખૂબ વધી જાય છે, જેના કારણે અનેક બીમારીઓ થવાનો ખતરો રહે છે. આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનું સેવન કરવાની સલાહ આપે છે. તેની સાથે આ સમસ્યાથી પીડિત દર્દીઓને મીઠાઈ ખાવાની પણ મનાઈ છે.   આવી સ્થિતિમાં  સ્વીટ ખાવાનું સદંતર બંધ થઇ જાય છે. ઘણા દર્દીઓ મીઠાઈના વિકલ્પ તરીકે મધ અને ગોળનું સેવન કરે છે. તો સવાલ એ થાય છે કે બેમાંથી કયું વધુ સ્વસ્થ છે? જાણીએ એક્સ્પર્ટનો શું છે મત

બ્લડ સુગર પર ગોળની અસર

આપણામાંથી મોટાભાગના લોકો ગોળને ડાયાબિટીસના દર્દીઓ માટે સાકર કરતાં વધુ સ્વાસ્થ્યવર્ધક અને વધુ યોગ્ય માને છે, પરંતુ  વાસ્તવમાં ડાયાબિટીસના દર્દીઓએ પણ ગોળનું સેવન ટાળવું જોઈએ. કારણ કે ગોળ ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનના સ્તરને પણ અસર કરે છે. ખરેખર તો ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી મળે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, ખાંડ અને ગોળ બંનેમાં હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ હોઈ શકે છે.  ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આહારમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનો સમાવેશ કરવાથી  બ્લડ સુગરનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે.

 બ્લડ સુગર પર  મધની અસર

  મધ કુદરતી ખાંડ અને કાર્બોહાઇડ્રેટ છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. 2004ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું  કે, સફેદ ખાંડ કરતાં મધ બ્લડ સુગરના સ્તર પર વધુ ફાયદાકારક  છે. મધ, ખાંડથી વિપરીત, ઇન્સ્યુલિનમાં વધારો કરી શકે છે, જે લોહીના ગંઠાઈ જવાને નિયંત્રિત કરી શકે છે.

 બેમાંથી કયું વધુ હેલ્ધી છે?

 મધ અને ગોળ બંને બ્લડ સુગર લેવલમાં વધારો કરે છે, પરંતુ મધનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ સ્વાસ્થ્યપ્રદ બની શકે છે. કારણ કે તેમાં સૂક્ષ્મ પોષકતત્વો હોય છે. આ સિવાય ગોળમાં મેગ્નેશિયમ, કોપર અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. તો  મધમાં વિટામિન બી, વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે ગોળ કરતાં વધુ ફાયદાકારક હોઈ શકે છે. તેથી ડાયાબિટીસમાં ગોળ અને મધની તુલના કરતા  મધનું સેવન કરવું વધુ યોગ્ય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
Health Alert: જીભ પર કેમ થાય છે ચાંદા? શું આ કોઇ ગંભીર બીમારીના છે સંકેત
Health Alert: જીભ પર કેમ થાય છે ચાંદા? શું આ કોઇ ગંભીર બીમારીના છે સંકેત

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
Bank of Baroda માં 5 વર્ષ માટે ₹5,00,000 FD કરવા પર કેટલું રિટર્ન મળે? જાણો કેલક્યુલેશન 
Bank of Baroda માં 5 વર્ષ માટે ₹5,00,000 FD કરવા પર કેટલું રિટર્ન મળે? જાણો કેલક્યુલેશન 
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
Embed widget