Modi Fitness Secrets: 75 વર્ષની ઉંમરે પણ PM મોદી કેમ છે આટલા ફિટ અને ઊર્જાવાન, જાણો સંપૂર્ણ ડાયટ પ્લાન
Modi Fitness Secrets: પ્રધાનમંત્રી મોદી 75 વર્ષની ઉંમરે પણ ફિટ છે. તેમની ફિટનેસનું રહસ્ય તેમની આહારશૈલી અને જીવનશૈલીમાં રહેલું છે.

Modi Fitness Secrets:ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 75મો જન્મદિવસ હતો. 75ની વર્ષની ઉંમરે પણ તે ફિટ, નિરોગી છે. જેનું રહસ્ય તેમની જીવનશૈલી છે. 75 વર્ષની ઉંમરે પણ, તેમની ફિટનેસ અને ઉર્જા લોકોને આશ્ચર્યચકિત કરે છે. તેમના વ્યસ્ત રાજકીય સમયપત્રક છતાં, તેઓ તેમના આહાર અને દિનચર્યા પ્રત્યે અત્યંત ચુસ્ત રહે છે. ચાલો તેમના આહાર અને ખાવાની આદતો વિશે જાણીએ.
ઉપવાસનું મહત્વ
તાજેતરમાં લેક્સ ફ્રિડમેન પોડકાસ્ટમાં, પીએમ મોદીએ ખુલાસો કર્યો કે ઉપવાસ તેમના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે ઉપવાસ તેમને ક્યારેય નબળા પાડતા નથી, પરંતુ તેમને વધુ ઉર્જા આપે છે. તેમના માટે, ઉપવાસ શિસ્ત અને ભક્તિનું પ્રતીક છે.
દિવસમાં ફક્ત એક જ વાર ખાવું
Pm મોદીએ સમજાવ્યું કે જૂનથી નવેમ્બર સુધી લગભગ ચાર મહિના સુધી ચાલતી ચાતુર્માસ પરંપરા દરમિયાન, તેઓ દિવસમાં ફક્ત એક જ વાર ખાય છે. આ પ્રથા માત્ર તેમના સ્વ-શિસ્તને પ્રતિબિંબિત કરતી નથી પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
ગરમ પાણીની આદત
નવરાત્રી દરમિયાન, પીએમ મોદી ખોરાકનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે અને ફક્ત ગરમ પાણી પીવે છે.. સંશોધન દર્શાવે છે કે, ગરમ પાણી પીવાથી શરીરમાંથી વિષાક્ત તત્વો બહાર નીકળે છે, ચયાપચયમાં સુધારો થાય છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
મોરિંગા પરાઠા
પીએમ મોદીનો પ્રિય ખોરાક મોરિંગા પરાઠા છે. સરગવાના પાંદડામાંથી બનેલો આ પરાઠો એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
આયુર્વેદિક ખોરાક માટે ઉત્સાહ
મોદી આયુર્વેદિક વસ્તુઓમાં વધુ આગ્રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર ઘણી વખત શેર કર્યું છે કે તેઓ લીમડાના પાન, લીમડાના ફૂલો ખાય છે. આ ઘટકો શરીરને શુદ્ધ કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
ખીચડીનો સ્વાદ
પીએમ મોદીની પસંદગની ડિશ ખીચડી છે. દાળ અને ચોખામાંથી બનેલી આ સરળ વાનગી પૌષ્ટિક અને હળવી હોય છે. હળદર અને ઘી ઉમેરવાથી તેનો સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ વધે છે. ખીચડી પચવામાં સરળ છે અને આયુર્વેદમાં ડિટોક્સ આહાર તરીકે પણ ભલામણ કરવામાં આવે છે.
નાસ્તા તરીકે ઢોકળા
ગુજરાતી વાનગી ઢોકળા પણ તેમના આહારનો એક ભાગ છે. ચણાના લોટમાંથી બનેલી આ વાનગી હળવી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. તે ફાઇબર, ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે. તે સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને પાચનતંત્ર માટે પણ સારી માનવામાં આવે છે.
શિસ્ત એ શક્તિ છે
પીએમ મોદીનો આહાર એ વાતનો પુરાવો છે કે, ફિટનેસનું રહસ્ય મોંઘા ફૂડ કે સપ્લીમેન્ટસ અથવા જટિલ ડાયટમાં નથી, પરંતુ શિસ્ત અને બેલેસ્ડ ડાયટમાં રહેલું છે. તેમની ડાયટમાં આયુર્વેદ અને પરંપરાગત ભારતીય ભોજન પ્રતિબિંબિત થયા વિના નથી રહેતું. આ જ કારણ છે કે, 75 વર્ષની ઉંમરે પણ, તેઓ ઊર્જવાન છે અને તત્પરતાથી સતત દેશની સેવા કરવા સક્ષમ છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















