![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જોઇન્ટસ પેઇનની સમસ્યાથી પરેશાન છો તો ગરમીમાં આ 5 ફળોનું કરો સેવન, છે કુદરતી રામબાણ ઇલાજ
આર્થરાઈટીસના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજા થવાની સંભાવના સૌથી વધુ હોય છે. આવા લોકોએ આ 5 ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઈએ. તેનાથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થશે.
![જોઇન્ટસ પેઇનની સમસ્યાથી પરેશાન છો તો ગરમીમાં આ 5 ફળોનું કરો સેવન, છે કુદરતી રામબાણ ઇલાજ Healthy fruits for arthritis patients reduce joint pain and inflammation problem જોઇન્ટસ પેઇનની સમસ્યાથી પરેશાન છો તો ગરમીમાં આ 5 ફળોનું કરો સેવન, છે કુદરતી રામબાણ ઇલાજ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/bb65497478d05d17cdc9192de473e702_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health Tips:આર્થરાઈટીસના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજા થવાની સંભાવના સૌથી વધુ હોય છે. આવા લોકોએ આ 5 ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઈએ. તેનાથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થશે.
આર્થરાઈટીસના દર્દીઓ સાંધામાં દુખાવો અને સોજાની સૌથી વધુ ફરિયાદ કરે છે. વધતી જતી ઉંમર સાથે આર્થરાઈટિસનો રોગ વધુ પરેશાન કરવા લાગે છે. જો કે જો તમે તમારા ખાનપાનનું થોડું ધ્યાન રાખશો તો તમે આ બીમારીથી બચી શકો છો. ગરમીમાં આ ફળો ખાવાથી દુખાવો અને સોજામાં ઘણી રાહત મળી શકે છે. આજે અમે તમને એવા જ 5 ફળો વિશે જણાવી રહ્યા છીએ જેને આર્થરાઈટિસના દર્દીઓએ તેમના આહારમાં અવશ્ય સામેલ કરવા જોઈએ.
આર્થરાઈટીસના દર્દીઓએ આ ફળોને આહારમાં સામેલ કરવા ફાયદાકારક
ઓરેન્જ
આર્થરાઈટિસના દર્દીઓ માટે વિટામિન સી ખૂબ જ ફાયદાકારક છે. નારંગીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. સંતરામાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ સાંધાઓના સોજાને પણ ઘટાડે છે. સંધિવાના દર્દીઓને નારંગી, મોસમી અને લીંબુ જેવા ખાટાં ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે.
તરબૂચ
આર્થરાઈટિસના દર્દીઓ માટે પણ તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. તરબૂચમાં સોજા વિરોધી ગુણધર્મો અને કેરોટીનોઇડ બીટા-ક્રિપ્ટોસેન્થિન પણ હોય છે જે સંધિવાના દર્દીઓ માટે સારું છે. તેનાથી સોજો દૂર થાય છે. ખાસ કરીને રુમેટોઈડ આર્થરાઈટીસના દર્દીઓ માટે તરબૂચ ફાયદાકારક છે.
દ્રાક્ષ
દ્રાક્ષમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને સોજા વિરોધી ગુણ હોય છે. દ્રાક્ષ ખાવાથી સંધિવાના દર્દીઓમાં દુખાવો અને સોજો ઓછો થાય છે. દ્રાક્ષની છાલમાં રેઝવેટ્રોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આર્થરાઈટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
એવોકાડો
એવોકાડો પણ આર્થરાઈટિસના દર્દીઓ માટે ખૂબ જ સારું ફળ છે. એવોકાડોમાં અનેક પોષકતત્વો છે, જે સોજાને ઘટાડે છે. એવોકાડો સાંધામાં થતાં નુકસાનને પણ ઘટાડે છે. જો તમે પ્રારંભિક તબક્કામાં જ આ ફળ ખાઓ છો, તો તે સંધિવા પણ મટાડી શકે છે. એવોકાડોમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેને સુપરફ્રુટ પણ કહેવામાં આવે છે.
ચેરી
આર્થરાઈટિસના દર્દીઓએ પણ ખોરાકમાં ચેરીનો સમાવેશ કરવો જોઈએ. ચેરીમાં એન્થોકયાનિન એન્ટીઑકિસડન્ટ હોય છે, જેના કારણે તે સોજો વિરોધી ગુણધર્મો ધરાવે છે. ચેરી ખાવાથી આર્થરાઈટિસના દર્દીઓના સાજો ઓછી થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)