શોધખોળ કરો

વિદ્યા બાલની ગ્લોઇંગ સ્કિનનું રાજ છે આ ડિટોક્સ ડ્રિન્ક,બ્યુટી સિક્રેટ કર્યું શેર

વિદ્યા બાલન તેમની એક્ટિંગની સાથે તેમની નેચરલ બ્યુટીના કારણે પણ ચર્ચાં માં રહે છે. વિદ્યાબાલન તેમની ચહેરાની સારસંભાળ માટે નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે.

Actress Beauty Tips:એક્ટ્રેસ વિદ્યા બાલન તેમની નિખરેલી  અને દાગ રહિત  ત્વચાના કારણે લાખો દિલો પર રાજ કરે છે. વિદ્યા બાલન તેમની એક્ટિંગની સાથે તેમની નેચરલ બ્યુટીના કારણે પણ ચર્ચાં માં રહે છે. વિદ્યાબાલન તેમની ચહેરાની સારસંભાળ માટે નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે.

વિદ્યાબાલન કહે છે કે, સ્કિનની બ્યુટી માટે તેને ડીટોક્સ કરી જરૂરી છે. તો વિદ્યા બાલન પાસેથી જ જાણીએ કે સ્કિનને કેવી રીતે ડિટોક્સ કરી શકાય. સૌપ્રથમ તો રાત્રે મેકઅપને ચહેરા પરથી દૂર કરીને ચહેરો ક્લિન કરીને ઊંઘવું જોઇએ.

રાત્રે સૂતા પહેલા ચહેરાને હાઇડ્ઇટ રાખવા માટે હાઇડ્રેટિંગ સીરમથી ચહેરાની માલિશ કરો. આ ટિપ્સના કારણે ત્વચા એકદમ મૂલાયમ બનશે અને ચહેરો ખીલેલો દેખાશે.

સવારે ઉઠ્યાં બાદ સૌથી પહેલા આપ સાદા પાણીથી ચહેરાને સારી રીતે ધોઇ લો. આપ અહીં સ્કિનને અનુકૂળ ફેશવોશ પણ યુઝ કરી શકો છો ત્યાર બાદ સ્ટીમ લો. જેથી ચહેરા પરની ગંદગી દૂર જઇ જશે.હવે ચહેરાની ડીપ ક્લિનિંગ બાદ સાારૂ ફેસમાસ્ક લગાવો,આપની સ્કિનના ટાઇપ મુજબના ફેસ માસ્ક બજારમાં મળી જશે. આપ ઘર પર પણ ફેસ માસ્ક બનાવી શકો છો. 

ઘર પર ફેસમાસ્ક બનાવવા માટે આપ આપની સ્કિન ટાઇપને ધ્યાનમાં રાખો., જો ડ્રાઇ સ્કિન હોય તો દહીં, મધનો ઉપયોગ કરી શકો છો. જો ઓઇલી સ્કિન હોય તો આપ  મુલતાની માટી કે અન્ય ક્લે બેઇઝ્ડ ફેસ માસ્ક લાગાવી શકો છો.  ફેસમાસ્ક લગાવ્યાં બાદ ચહેરાનાને સાફ કરીને સીરમ કે ફેસિયલ ઓઇલ લગાવી શકો છો.

બ્યુટીફુલ સ્કિન માટે ડાયટ પણ મહત્વનું છે. સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે ખૂબ પાણી પીવો. આલ્કોહોલ અને કેફિનનું સેવન ન કરો.  ડાયટમાં સલાડ અને સિઝન ફળો જરૂર સામેલ કરો ટામેટાને અવશ્ય લો. તેનાથી સ્કિન ખીલેલી દેખાશે.

Sharp Memory Food: બાળકોની ડાયટમાં સામેલ કરો આ ફૂડ, બ્રેઇનના ક્ષમતામાં થશે ગજબ વધારો

Sharp Memory Food::  હવે બોર્ડની એક્ઝામ નજીક છે. જો આપ આપના બાળકનું ઉત્તમ રિઝલ્ટ ઇચ્છો છો તેના એક્ઝામની તૈયારી સાથે ડાયટ પર પણ ધ્યાન આપવું પડશે.

આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તેની અસર આપણા સ્વાસ્થ્યની સાથે સાથે આપણા મગજ  પર પણ પડે છે. મગજ આપણા આખા શરીરને નિયંત્રિત કરે છે, તેથી તેમના માટે સ્વસ્થ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો મન સ્વસ્થ ન હોય તો આપણી ક્ષમતા પણ ઓછી થવા લાગે છે. જો તમારો આહાર યોગ્ય હોય તો મગજ ચાચા ચૌધરીની જેમ ઝડપથી ચાલે છે અને તેની ક્ષમતા પણ વધે છે. જો તમે શાર્પ બ્રેઇન ઈચ્છો છો, તો તમારા આહારમાં આ 5 બ્રેઈન ફૂડ્સનો સમાવેશ કરો. જે મગજને તેજ બનાવે છે અને બ્રેઇનની ક્ષમતા વધારે છે.આવો જાણીએ આ 5 સુપરફૂડ વિશે.

બ્લુબેરી

હેલ્થ એક્સપર્ટના મતે જો તમારા તમારા મનને તેજ કરવા માંગો છો તો તમારા ડાયટમાં બ્લૂબેરીનો સમાવેશ કરો. તેમાં સ્ટ્રોબેરી, બ્લુબેરી, બેરી, મલબેરી જેવા ફળો છે. આ ફળમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે મગજના સ્વાસ્થ્યને ખૂબ જ મજબૂત બનાવે છે. બ્લૂબેરીમાં પણ સોજા વિરોધી  ગુણો જોવા મળે છે. જેના કારણે મગજમાં સોજો નથી આવતો. આ શરીરમાંથી ઓક્સિડેટીવ તણાવ પણ દૂર કરે છે.

 

ડાર્ક ચોકલેટ

જો તમે ચોકલેટ ખાવાના શોખીન છો તો ડાર્ક ચોકલેટ ખાવાનું શરૂ કરો. તેનાથી તમારું મગજ તેજ બને છે. કેફીન અને ફ્લેવોનોઈડ સહિત ડાર્ક ચોકલેટમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. એક સંશોધન મુજબ ડાર્ક ચોકલેટ ખાવાથી બૌદ્ધિક કસોટીમાં પાસ થવાની ક્ષમતા પણ વધે છે.

કોળાના બીજ

આપણે કોળાના બીજ કાઢીએ છીએ અને તેને ફેંકી દઈએ છીએ. પરંતુ તે એક અદ્ભુત સુપરફૂડ છે. આ જ કારણ છે કે તેની કિંમત 600 રૂપિયા પ્રતિ કિલો છે. કોળાના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ, મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક અને કોપર જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે બ્રેઇનને સ્ટ્રોન્ગ કરવાનું કામ કરે છે.

બદામ

ઘણીવાર તમને સલાહ આપવામાં આવે છે કે જો મગજ ઓછું કામ કરતું હોય તો બદામ ખાઓ.. હા, મગજને તેજ બનાવવામાં બદામ ખૂબ જ અસરકારક છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે તે મગજ અને હૃદયના સ્વાસ્થ્યમાં અદ્ભુત સુધારો લાવે છે. એક રિસર્ચ અનુસાર જો તમે દરરોજ બદામ ખાઓ છો તો વિચારવાની ક્ષમતા વધે છે. અન્ય એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે બદામમાં વિટામિન ઈ, એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે મગજને સ્વસ્થ અને ચરબીયુક્ત યાદશક્તિને તેજ બનાવે છે.

હળદર

 હળદરના ઉપયોગથી ઘણા પ્રકારના રોગો દૂર કરી શકાય છે. આયુર્વેદમાં પણ તેના અનેક ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે હળદર મગજને પણ આઈન્સ્ટાઈન જેવું બનાવી શકે છે. હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન કમ્પાઉન્ડ મગજને તેજ બનાવે છે અને અલ્ઝાઈમર અથવા ડિમેન્શિયા જેવી સમસ્યાને પણ દૂર કરે છે.  હળદર મગજમાંથી એમીલોઇડ કચરો સાફ કરે છે. આ એમાઈલોઈડ અલ્ઝાઈમર રોગનું કારણ બને છે.  કર્ક્યુમિન સેરોટોનિન અને ડોપામાઇન હોર્મોન્સને સક્રિય કરીને મૂડ સુધારે છે.

Disclaimer:આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા   ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા,  ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget