શોધખોળ કરો
શું વજન ઘટાડવા માટે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બિનઅસરકારક ? સ્ટડીના આશ્ચર્યજનક તારણો
આ સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, સ્થૂળતા ધરાવતા લોકો માટે વજન ઘટાડવામાં અથવા જીવનની ગુણવત્તા સુધારવામાં ઇન્ટરમિટેંટફાસ્ટિંગથી કંઇ ખાસ ફાયદો જોવા મળ્યો નથી.
પ્રતીકાત્મક તસવીર
1/7

આજકાલ વજન ઘટાડવા માટે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા, ફિટનેસ બ્લોગ્સ અને ઘણી સેલિબ્રિટીઓ તેને ઝડપથી વજન ઘટાડવાનો એક સરળ રસ્તો ગણાવે છે. જો કે, તાજેતરમાં પ્રકાશિત થયેલા એક મોટા વૈજ્ઞાનિક સમીક્ષાએ આ દાવા પર સવાલ ઉઠાવ્યા છે. સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરવાથી વજન ઘટાડવામાં અથવા સ્થૂળતા ધરાવતા લોકો માટે જીવનની ગુણવત્તા સુધારવામાં બહુ ઓછો અથવા કોઈ ફાયદો થયો નથી. જો કે, તેની શરીરના કેટલાક આંતરિક કાર્યો પર સકારાત્મક અસર પડી શકે છે, પરંતુ વધુ સંશોધનની જરૂર છે.
2/7

ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગનો મતલબ છે એક નિયત કલાકો પછી જ ભોજન કરવું, આ ડાયટના પ્રકારમા્ં લોકો મર્યાદિત સમય માટે, દરરોજ અથવા અઠવાડિયાના ચોક્કસ દિવસોમાં ખાય છે. કેટલીક સામાન્ય પદ્ધતિઓમાં 5:2 આહારનો સમાવેશ થાય છે, જેમાં અઠવાડિયામાં પાંચ દિવસ સામાન્ય રીતે ખાવાનું અને બે દિવસ ખૂબ ઓછી કેલરી લેવાનો સમાવેશ થાય છે. દરરોજ 8 કલાકની અંદર ખાવાનું અને બાકીના 16 કલાક ઉપવાસ કરવાનું શામેલ છે. એક દિવસ સામાન્ય રીતે ખાવાથી અને બીજા દિવસે ખૂબ ઓછું ખાવાથી (ઝડપી વજન ઘટાડવામાં અને ચયાપચયને વેગ મળે છે તેવું માનવામાં આવે છે.
Published at : 27 Feb 2026 01:00 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ























