શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ કોરોનામાંથી સાજા થયેલા આ મહિલાનો આગે લઈ લીધો ભોગ, જાણો વિગત
51 વર્ષીય આયેશા તીરમીઝીને નોન કોવિડ હોસ્પિટલમાં લઇ જવાના હતા એ પહેલાં આ ઘટના બની હતી અને એમાં તેમનું નિધન થયું છે.
![અમદાવાદઃ કોરોનામાંથી સાજા થયેલા આ મહિલાનો આગે લઈ લીધો ભોગ, જાણો વિગત 51 year Ayesha Tirmizi died in fire at Shrey hospital before she shifted in non covid hospital અમદાવાદઃ કોરોનામાંથી સાજા થયેલા આ મહિલાનો આગે લઈ લીધો ભોગ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/06072453/shrey3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી ગોઝારી આગની ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. શ્રેય હોસ્પિટલના કોવિડ આઈસીયુમાં દાખલ આઠ દર્દીઓમાં હાઇકોર્ટમાં વકીલ મોહમ્મદ સોહેલ તિરમિઝીના પત્ની આયેશા તીરમીઝીનું પણ નિધન થયું છે. 51 વર્ષીય આયેશા તીરમીઝીને નોન કોવિડ હોસ્પિટલમાં લઇ જવાના હતા એ પહેલાં આ ઘટના બની હતી અને એમાં તેમનું નિધન થયું છે.
એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ શિફ્ટ કરવાના હતા, પણ મોત નીપજ્યું છે. કોરોનાના બે નેગેટિવ આવેલા પેશન્ટની તો કમ સે કમ ડેડ બોડી તો સોંપો એવી પરિવારજનોની માંગ છે. કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આવેલી હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગની દુઘર્ટનામાં દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઇજા પામેલા ઈજગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.
મૃતકોના નામ
- આયશાબેન તિરમીજી, પાલડી
- જ્યોતિબેન સિંધી, ખેરાલુ
- અરવિંદભાઈ ભાવસાર, મેમનગર
- નવીનલાલ શાહ, ધોળકા
- આરીફ મન્સુરૂ, વેજલપુર
- લીલાવતીબેન શાહ, વાસણા
- નરેન્દ્રભાઈ શાહ, ધોળકા
- મનુભાઈ ઈશ્વરભાઈ રામી, મેમનગર
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)