![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: GMDCમાં આયોજીત બુક ફેર આવ્યો વિવાદમાં, બળાત્કારના આરોપી આસારામના પુસ્તોકોનું વેંચાણ થતા ખળભળાટ
અમદાવાદ: GMDC ગ્રાઉન્ડમાં ખુલ્લો મુકાયેલ બુક ફેરમાં વિવાદમાં આવ્યો છે. હકિકતમાં 31 અને 32 નંબરના સ્ટોલમાં આસારામના પુસ્તકોનું વેચાણ થતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
![Ahmedabad: GMDCમાં આયોજીત બુક ફેર આવ્યો વિવાદમાં, બળાત્કારના આરોપી આસારામના પુસ્તોકોનું વેંચાણ થતા ખળભળાટ A book fair organized in Ahmedabad's GMDC has come under controversy Ahmedabad: GMDCમાં આયોજીત બુક ફેર આવ્યો વિવાદમાં, બળાત્કારના આરોપી આસારામના પુસ્તોકોનું વેંચાણ થતા ખળભળાટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/06/a76a623bedc4bb5220fa4e3fb7732ad21704558995572397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: GMDC ગ્રાઉન્ડમાં ખુલ્લો મુકાયેલ બુક ફેરમાં વિવાદમાં આવ્યો છે. હકિકતમાં 31 અને 32 નંબરના સ્ટોલમાં આસારામના પુસ્તકોનું વેચાણ થતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે ABP અસ્મિતાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સમગ્ર મામલે અજાણ હોવાની વાત સામે આવી છે.
AMC ના અધિકારી તેજસ ભંડારી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યા અનુસાર બુકફેરમાં સ્ટોલ જ્ઞાનગંગાના નામથી બુક થયો હોવાનું સામે આવ્યું છે. સ્ટોલમાં બળાત્કારી આસારામના પુસ્તકોનું વેચાણ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે, મોડી સાંજે વિવાદ વધતા આખરે નેશનલ બુક ફેરમાં આસારામના પુસ્તકોનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ AMCના શાસકો દોડતા થયા હતા. બળાત્કારી આસારામના પુસ્તકોનું વેચાણ કરતા 31, 32 નંબરના સ્ટોલ બંધ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં અસામાજિક અને ગુંડાતત્વો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસકર્મી પર હુમલાથી હડકંપ મચ્યો છે. સુરેન્દ્રનગરમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગર પકડની બહાર છે. બુટલેગર જાલમસિંહ અને તેના મળતિયાઓને પકડવા પોલીસે 4 ટીમો બનાવી છે. બુટલેગર જાલમસિંહને છોડાવી તેના મળતિયા ફરાર થયા હતા. જાલમસિંહને પકડનાર પોલીસ પર હુમલો કરાયો હતો. આરોપી જાલમસિંહને પકડવા જતા ટોળાએ હુમલો કર્યો હત. ટોળાના હુમલામાં PSI કે.વી.ડાંગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત PSIને અમદાવાદની ઝાયડસમાં ખસેડાયા હતા. હુમલા બાદ ઝીંઝુવાડા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. પોલીસે અલગ અલગી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પાટડી સહિતના વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતું અને રણમાં પણ તપાસ કરી હતી.
શું છે મામલો
સુરેન્દ્રનગરમાં અવારનવાર ક્રાઈમની ઘટનાઓ બનતી રહે છે. કાયદો વ્યવસ્થા પર વારંવાર સવાલ ઉઠતા રહે છે. આ વચ્ચે ગઈકાલે ઝીંઝુવાડા ગામે આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો. ટોળાએ PSI કે.વી. ડાંગરને છાતીમાં છરીના ઘા માર્યા હતા. જ્યારબાદ PSIને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આ સાથે અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. હાલ તો બુટલેગર પોલીસ પર હુમલો કરી ફરાર થઇ ગયો છે. છેલ્લા 15 દિવસમાં પી.એસ.આઈ પર હુમલાની બીજી ઘટના છે. આ ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના પગલે સમગ્ર સુરેન્દ્રનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)