શોધખોળ કરો

Gujarat Weather: સ્વેટર, ગોદડા કાઢી રાખજો, હવામાન વિભાગે કરી ઠંડી વધવાની આગાહી

Gujarat Weather Update: સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓસરતાં જ રાજ્યમાં હવે માવઠાની કોઇ જ સંભાવના નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે માવઠાની કોઇ સંભાવના નથી.

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ઠંડીને લગઈ આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. શનિવારે દિવસ દરમિયાન મહેસાણાના ખેરાળુ-સાબરકાંઠાના વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વડનગર-વડાલી-ખેડબ્રહ્મામાં છૂટાછવાયા ઝાપટાં પડયા હતા.

ઠંડીનો ચમકારો વધશે

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓસરતાં જ રાજ્યમાં હવે માવઠાની કોઇ જ સંભાવના નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે માવઠાની કોઇ સંભાવના નથી. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો નોંધાતાં ઠંડીના ચમકારોમાં વધારો થઇ શકે છે.

વાતાવરણમાં આવેલા પલટાથી હાલ ઠંડીમાં થયો છે ઘટાડો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે અને મોટાભાગના શહેરમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું હતું. ગત રાત્રિએ 18.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં 3 દિવસ બાદ તાપમાન ગગડીને 14 ડિગ્રી નોંધાઇ શકે છે.

અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 32 જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો થઇ શકે છે.

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના 36 નવા કેસ

ગુજરાતમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. શનિવારે વધુ 4.10 લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.  છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાંથી 8- ગ્રામ્યમાંથી 1 સાથે 9, વડોદરામાંથી 7, સુરત-વલસાડમાંથી 4, જામનગરમાંથી 3, રાજકોટ-કચ્છ-સાબરકાંઠામાંથી 2, ગાંધીનગર - મહેસાણા- નર્મદામાંથી 1-1 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,27,184 છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10,091 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 44 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,16,770 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.74 ટકા છે. રાજ્યમાં હાલ 323 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદ 129, વડોદરા 55, સુરત 26, વલસાડ 24 સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝ હવે 7.69 કરોડ થયો છે. જેમાં 4.53 કરોડ દ્વારા પ્રથમ ડોઝ અને 3.16 કરોડ દ્વારા બંને ડોઝ લેવાઇ ચૂક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
Embed widget