Kirti Patel Arrested: મૃગીકુંડ સ્નાન વિવાદ વચ્ચે જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી કરી કીર્તિ પટેલની ધરપકડ
Kirti Patel Arrested: સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને લઈને મોડી સાંજ સુધીમાં જૂનાગઢ પહોંચે તેવી શક્યતા છે.

Kirti Patel Arrested: સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને લઈને મોડી સાંજ સુધીમાં જૂનાગઢ પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ભવનાથ તળેટીના મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદ બાદ કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં કુલ 3 ગુના નોંધાયા છે. મૃગીકુંડમાં સ્નાન કરતી વખતે ફરજ પરના PI (પોલીસ ઈન્સ્પેક્ટર) સાથે માથાકૂટ અને ઉગ્ર દલીલો કરવા મામલે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, બજરંગદાસ બાપુએ પણ કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિવાદોની હારમાળામાં એક યુટ્યુબરે પણ કીર્તિ પટેલ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. આ યુટ્યુબરે કીર્તિ પટેલના સતત ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં જૂનાગઢ પોલીસ આ તમામ મામલે કીર્તિ પટેલની કડક પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.
શું હતો મૃગીકુંડ વિવાદ?
તમનેે જણાવી દઈએ કે, કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી. કીર્તિ પટેલે ભગવા કપડાં પહેરીને નાગા સાધુઓના શાહી સ્નાન દરમ્યાન મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી. આ ઘટનાથી સાધુ-સંતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે સાધુઓની રવેડી નીકળે છે જે બાદ સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે. આ દિવસે પરંપરા અનુસાર કોઈ સંસારી વ્યક્તિ મૃગીકુંડમાં સ્નાન કરી શક્તી નથી. પરંતુ કીર્તિ પટેલ પ્રશાસનની નજર ચુકવીને ભગવા વસ્ત્રોની આડમાં મૃગી કુંડમાં સ્નાન કરવા પહોંચી ગઇ હતી. આ દરમિયાન તે મહિલા પોલીસકર્મી સાથે ઝઘડો કરતી પણ જોવા મળી હતી. ત્યારે મેળામાં રવેડીમાં કીર્તિ પટેલ કેવી રીતે આવી ગઈ અને મૃગીકુંડ સુધી કેવી રીતે પહોંચી ગઈ તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ ઘટનાને લઇને વિવાદ સર્જાયો હતો.
મૃગીકુંડમાં સ્નાનને લઇને શું ગાઇડલાઇન
ઉલ્લેખનિય છે કે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે સાધુઓની રવેડી નીકળે છે જે બાદ સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે. આ દિવસે પરંપરા અનુસાર કોઈ સંસારી વ્યક્તિ મૃગીકુંડમાં સ્નાન કરી શક્તી નથી. જો કે આ મૃગીકુંડમાં સ્નાનને લઇને કોઇ ચોક્કસ કાયદાકિય ગાઇડ લાઇન નથી. ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં માત્ર સન્યાસીઓ જ સ્નાન કરી શકે તેવી કાયદાકીય કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સાધુઓ જ સ્નાન કરે એ એક ધાર્મિક પરંપરા હોવાથી મોટાભાગના સંસારીઓ મૃગીકુંડમાં સ્નાન કરતા નથી. જો કે સમયની માંગણી અને સાધુ સંતોની લાગણીને જોતા તેમજ મૃગીકુંડની રહસ્યમય અને પવિત્ર પરંપરા સાથે છેડછાડ ન થાય માટે કાયદાકીય રીતેે ચોક્કસ ગાઇડલાઇન બનાવવી આવકાર્ય છે.























